________________
[૩] મતભેદ નહીં
વાપરવાની નથી, આ સત્તા ભોગવવાની છે. સત્તા વાપરવા માટે નથી, આ સત્તા જાણીને ભોગવવા માટે છે. આપણા લોક સત્તા વાપરે, નહીં ? ‘તું સમજે નહીં, એક તો અક્કલ વગરની ! તું તારે ઘેર જતી રહે' કહે છે. આ અક્કલનો કોથળો મૂઓ ! ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બજાવવામાં વાંધો છે. આ તો ધણીપણું બજાવે છે, ‘શું સમજે છે તું ?” અલ્યા મૂઆ, આવું પૂછું છું ? આ ગુનેગાર છે ? ગુનેગારનેય એવું ના બોલાય. સરકારે કાયદાય એવા કર્યા છે, કે ‘અત્યારે ગુનેગારનેય બહુ આવું કરશો નહીં' કહે છે.
৩৩
‘શું સમજે છે તારા મનમાં આમ ?” અને કેવા કેવા શબ્દો બોલે છે ! એ તો મને આવડેય નહીં. અત્યારે તો એ નથી આવડતું. અત્યારે તો મારી ભાષા બધી બદલાઈ ગઈ ને ! મને ના આવડે હવે, એ ભારે ભારે શબ્દો !
એક બેનને તો એનો ધણી ફરિયાદ કરવા તેડી લાવ્યો, કે ‘તું દાદાની પાસે ફરિયાદ કર બધી. મારો કેસ આખો નીકળી જાય.' બેનને મેં પૂછ્યું, ‘શું છે બેન તારે, હકીકત કહે ને ! એના તરફનો ઝઘડો છે ?” ત્યારે કહે, ‘ધણીપણું રોજ બજાવે છે. આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું ને એવું આખો દહાડો. હવે ઘર હું ચલાવું છું, પાંચ છોકરાનું હું ચલાવું છું, એમને જગાડું છું, કરું છું, તોય આખો દહાડો ધણીપણું બજાવે છે ! તેમાં મન-વચન-કાયાથી અમારે કોઈ સંબંધ નથી દસ વર્ષથી અને તોય પાછો ધણીપણું બજાવે છે.’ એટલે પછી મેં પેલાને ઝાલ્યો બરોબર, બરોબર ધૂળધાણી જ કરી નાખ્યો. એ ધણીપણું કરે એ ના હોવું જોઈએ. મેં ધણીને એની ભૂલ દેખાડી દીધી. ધણીપણું ક્યારે કહેવાય ? મનવચન-કાયાનો પાશવતાનો (વિષય) સંબંધ હોય ત્યારે. એ સંબંધ તો એને છે નહીં, તો પછી ધણીપણાની તો એને લેવાદેવા જ નહીં ને !
આ તો રોફ તો મારે જ... નહીં તો પૈણ્યા શું કરવા, કહેશે ! નહીં તો પૈણત જ નહીં ! આ તો પૈણે છે રોફ મારવા માટે ! વધારે તો રોફ મારવાની ટેવ છે. છતાં આ પુરુષોને શું કહું છું કે ધણીપણું ના કરી બેસશો.