________________
[૩] મતભેદ નહીં
હતી ને ! તેમાં પાટીદારિયા લોહી અને અણસમજણ બે ભેગું થાય, પછી શું થાય ? સાણસીઓ છૂટી મારે. સમજણ જ નહીં ને બળી ! પછી અનુભવ થયો કે આ ભૂલ કરી રહ્યા છીએ. કઈ પ્રકારની ભૂલ કરી રહ્યા છીએ ? આ ભૂલ આપણને ન શોભે. શાસ્ત્રો વાંચ્યા, બધું વાંચ્યું, પછી ખબર પડી કે આ તો ભૂલ થઈ રહી છે ! આવી ભૂલ કેમ ચાલે ? ઘ૨ના માણસને દુઃખ કેમ દેવાય ? આ તો લોકોનું કહેલું સાંભળીને બધું કરેલું. ‘બૂધે નાર પાંસરી' એવું કહે આપણા લોક ! હવે તે ઘોર અજ્ઞાનતા. પછી એમની જોડે રાગે પડી ગયું. પછી ચાલીસ વર્ષથી મતભેદ નહીં પડેલો. કારણ કે મેં હિસાબ કાઢ્યો કે એ ઘર ચલાવે છે. તે એમને આટલા રૂપિયા આપી દેવા. એટલે ઘર ચલાવે એટલું બધું. પછી આપણે હિસાબ-બિસાબ પૂછવો નહીં અને આપણા મહીં એ હિસાબ ના પૂછે. પોતપોતાના ડિવિઝનમાં (વિભાગમાં) જુદું જુદું રાખેલું સારું. એટલે મતભેદ ના પડે બને ત્યાં સુધી. તને સમજ પડીને ?
૭૫
ધણીપણું તા કરાય
પ્રશ્નકર્તા : હા, છતાં મતભેદ થઈ જ જાય છે, એનું શું કારણ ?
દાદાશ્રી : એક્સપર્ટ (નિષ્ણાત) હોય ત્યાં મતભેદ હોય, આમાં કંઈ મતભેદ હોતો હશે ? આ કંઈ એક્સપર્ટની લાઈન છે ? અમારે ઘેર હીરાબા છે, ત્યારે એ આજે છે તે દાળ-ભાત-રોટલી કરે, કાલે કઢી કરે, તો એ જે કરે એ ખરું ! આમાં આપણે એક્સપર્ટ નહીં ને વગર કામના બોલ બોલ કરીએ ! આ તો ધણીપણું બજાવે છે, બીજું કશું નહીં. હવે એ તો ના જ બજાવવું જોઈએ ને ?
પણ લોકો તો ધણીપણું બજાવે છે ને ? ગાયનો ધણી થઈ બેસે, પણ તે ગાયોય સ્વીકારતી નથી તમને ધણી તરીકે. એ તો તમે મનમાં માનો છો કે આ મારી ગાય છે ! તમે તો કપાસનેય મારો કહો છો, ‘આ કપાસ મારો છે', કહે. તે કપાસ જાણતોય નથી બિચારો. તમારો *બૂધું – જાડી ટૂંકી લાકડી