________________
[૩] મતભેદ નહીં
દાદાશ્રી : એ તો અમે શિખવાડીએ ને તમને, પણ ‘હું ચક્કર છું' એવું બોલતા આવડવું જોઈએ ને ! હું તો હીરાબાનેય ખુશ કરી નાખતો આવું બોલીને. ‘હં, તમે તો બહુ સારા માણસ છો, આવું શું બોલો છો ?’ એવું કહે. આમ વાળી લેવું. આપણી દાનત ખોરી નથી. વાળી લેવામાં કદી સંસારી ચીજ આપણે એમની પાસેથી પડાવી લેવી હોય તો ખોટું. આપણે તો એમનું મન સ્વચ્છ કરવા માટે વાળીએ છીએ.
૭૩
માર્યા'તા રોફ, તેથી મળ્યું સર્ટિફિકેટ ‘તીખા ભમરા જેવા’ પણ પહેલા મેં તો બહુ રોફ મારેલા.
પ્રશ્નકર્તા : દાદા, શું રોફ માર્યા હતા તમે ?
દાદાશ્રી : અરે ! બહુ રોફ, આમ કડક બહુ. બહુ સહન કરવું પડે એ બિચારાને, એ જ સહન કરે ! પછી મને સમજણ પડી ગઈ, આ તો ભૂલ થઈ રહી છે આ બધી. એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડે ને કે આ ભૂલો છે, નરી ભૂલો જ છે
ને બધી !
જેવા.’
પ્રશ્નકર્તા : એટલે હીરાબા કહેતા હશે કે ‘દાદા તો તીખા ભમરા
દાદાશ્રી : તીખા ભમરા જેવા. તે દહાડે કડકાઈ બહુ ! આ તો જ્ઞાનને લઈને બધું જતું રહ્યું. આજ છવ્વીસ વર્ષથી બધું જતું રહ્યું. ખોટી ખુમારીમાં ગાંડા કાઢ કાઢ કરેલા
પ્રશ્નકર્તા : આપે રોફ માર્યા'તા, બીજું શું કર્યું હતું ?
દાદાશ્રી : નાનપણમાં અણસમજણમાં લઢેલાય થોડીવાર, સમજણ આવ્યા પછી નહીં.
પ્રશ્નકર્તા : શેના માટે લઢેલા ? શી બાબતમાં ?