________________
[3] મતભેદ નહીં
૬૫
જાવ ને, ત્યારે કહે, “ના, કોઈ દહાડો એ લડ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એ તો ભગવાન જેવા છે.” શું કહે ? અને વાઈફને પૂછો તોય કહે કે “એ તો ભગવાન જ છે !” ત્યારે અમે વાઈફ વગરના ઓછા હોઈશું છે ? અમે સિત્યોતેર વર્ષના, તે પેલા ચુંમોતેર વર્ષના છે, પણ છે તો ખરા ને, નહીં ? પણ વ્યવહાર અમારો બધો પ્યૉર. બાકી દરરોજ વિધિ કરાવવાની. એમ કહે કે મારેય મોક્ષે જવું છે ! વાઈફ, કુટુંબીઓ બધાય નમસ્કાર કરે તે અજાયબી જ તે
અત્યારેય હીરાબા અહીં આગળ નમસ્કાર કરી, દર્શન કરે રોજ સવારમાં. રોજ રાત્રે દર્શન કરી, માથે પગ મેલાવડાવીને પછી છે તે વિધિ કરે છે. અમારો અત્યારેય વ્યવહાર આવી છે. અમારો વ્યવહાર બગાડેલો નહીં ને !
| અમારો વ્યવહાર સુંદર હોય, આદર્શ હોય, ત્યાં ક્રોધ-માન-માયાલોભ હોય નહીં. પાડોશી જોડે સંબંધ સારા હોય, ઘરમાં “વાઈફ' જોડે સંબંધ સારા હોય.
હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. જ્ઞાની પુરુષ તો વ્યવહાર સાથે હોય. એમનો વ્યવહાર આદર્શ વ્યવહાર હોય. આદર્શ વ્યવહાર એટલે કોઈ સંસારી માણસનો વ્યવહાર એવો આદર્શ હોય નહીં એવો આદર્શ હોય. કોઈ સંસારી માણસનો, અરે કોઈ સાધુનોય એવો આદર્શ ના હોય એવો એમનો આદર્શ વ્યવહાર હોય. આદર્શ વ્યવહાર એટલે બધા આજુબાજુના પાડોશીઓ, બધા એમ કહે કે કહેવું પડે એમનું તો !” પાડોશીઓ એમનાથી કંટાળેલા ના હોય, વ્યવહાર એવો આદર્શ હોય. વ્યવહાર તો આદર્શ કરવો પડશે ને, જ્યારે ત્યારે ?
જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના હોય ત્યાં સુધી મોક્ષ નથી. વ્યવહારના આધાર પર જ મોક્ષ છે ! આદર્શ વ્યવહાર હોવો જોઈએ, બીજા કોઈને દુઃખદાયી ના થાય એવો. અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર