________________
૬૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
આની નકલ કરાતી હશે, આમની ? જે આખો દહાડો ભીખ માગ્યા કરે છે, “હે ભગવાન, મને ફલાણું આપ, ફલાણું આપ, ફલાણું આપ', એની નકલ કરાતી હશે ?
છોકરાં મરી ગયા તે બુદ્ધિનો આશય પ્રશ્નકર્તા : આપને બુદ્ધિના આશય પ્રમાણે હીરાબા મળ્યા તો છોકરામાં આવું થયું, તેમાં તમારી બુદ્ધિનો શો આશય હશે ?
દાદાશ્રી : અમે બુદ્ધિના આશયમાં એવું લાવેલા કે આ છોકરાંની લપ શું ને ભાંજગડ શી ? તેથી આ છોકરાં મરી ગયા, તે બુદ્ધિનો આશય એવો હતો તેથી.
એટલે આ થિયરી તમને સમજણ પડી કે આ કોણ કાઢી આપે છે, કે આ આટલું આટલું મારે જોઈશે એવું? તું કંઈ જાતે લખાવું છું?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો એમાંથી શી રીતે કુદરત કાઢતી હશે ? ત્યારે કહે કે તારી બુદ્ધિમાં મહીં શું શું રહેલું છે, તે ખેંચી લે, એક્સ્ટ્રક્ટ (તારવણી) કરી લે. શેમાં તારી બુદ્ધિ સુખ માની રહી છે, તેના પરથી બુદ્ધિનો આશય ! એણે સુખ શેમાં માન્યું છે ? આમાં માન્યું છે ? ત્યારે કહે, હા, એય માન્યું છે.' આમાંય માન્યું છે ? ત્યારે કહે, “એય માન્યું છે.' એ પ્રમાણે તમે વહેંચણી કરી નાખી. અને આ બુદ્ધિના આશયમાં અમે આ સુખ જ નહીં માનેલું ! છોકરાંમાંય સુખ નહીં માનેલું.
પ્રશ્નકર્તા : તો તમે દીકરા-દીકરીનું થોડું પણ સુખ આશયમાં નહીં રાખ્યું હોય ? દાદાશ્રી : ઈચ્છા જ નહીં, આ વળી જંજાળ શું છે ?
હીરાબાને સમજાવ્યું, આમાં મજા નથી પ્રશ્નકર્તા : છોકરો-છોડી બન્ને મરી ગયા ત્યારે હીરાબાને શું પ્રતિભાવ થયો ?