________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
જુઓ તે, છોકરાં તહીં તોય કેટલા સેવા કરતારા ! કોઈ ચાકરી કરનારું હશે એમને ? છોકરાં નથી ને ! પ્રશ્નકર્તા : પુણ્યે એવી છે ને, ચોવીસેય કલાક કોઈ હોય છે જ.
દાદાશ્રી : પછી એ પુણ્યે ઓછી કહેવાય ? જ્ઞાન થતા પહેલા હીરાબા રોજ કહે, ‘છોકરાં મરી ગયા તે હવે છોકરાં નથી. શું કરીશું આપણે ? થૈડપણમાં કોણ સેવા કરશે ?” એવું તેવું બધું કહે ને ! એમને હઉ મૂંઝવે ને ! ના મૂંઝવે ? મેં કહ્યું, ‘છોકરાં નહીં હોય તો ચાકરી કરનાર વધારે મળશે.' તે અત્યારે એમની ચાકરી કરનારા પાંચ-દસ માણસ છે તે કર્યા કરે છે. અને પેલા બે-ત્રણ છોકરાં હોય તે છોકરાં એકલા જ કરે, બીજું કોઈ કરે નહીં. અને તે છોકરાને રીસ ચઢી તો જતો રહે. રીસ ચઢે તો જતો રહે કે ના જતો રહે ? અગર તો એની વહુ શિખવાડે તો જતો રહે કે ના જતો રહે ? એની વહુ તો ગુરુ કહેવાય કે ના કહેવાય ?
૬૨
જુઓ ને, એમને નથી છોકરું કે નથી છોકરાની વહુ, પણ સેવા કરનારા કેટલા છે ! આપણા પેલા મહાત્માની વાઈફ તો આખો દહાડો રહેવાના. એ એમને જમાડે. પછી આમ ખડે પગે બધા હાજર. ત્યારે બોલો, છોકરાંવાળાને ત્યાં ચાર-ચાર છોકરાં હોય પણ પાણી પારકો માણસ આવીને પાઈ જાય ત્યારે. છોકરાં કંઈ કામ લાગે તે વખતે ? એ ક્યાંયે પરદેશ કમાવવા ગયો હોય !
અને આ બધા મારા હાથે મોટા થયેલા છે, અમારા ભાગીદારના છોકરાંઓ એ બધાય મારા હાથે ઉછરેલા છે. કારણ મારે પેલી પ્રજા
નહીં એટલે આ બધા છોકરાંની પેઠ રહેલા. એના બાપુજીએ એવું કહેલું કે ‘આ જ તમારા ફાધર.' એટલો પ્રેમ મહીં ! બધું આખું કુટુંબ ફરેલું. અત્યારે હીરાબાની સેવા જ એ કર્યા કરે છે ને ! એમને છોકરાં નહીં પણ સેવા કરનારા બધા બહુ. કારણ કે મહાત્માઓ કેટલા બધા આપણે ત્યાં ! તે કોઈ ને કોઈ ત્યાં જાય ને એ બધા સેવા કરવા. ઊંચકે હઉ બધા એમને તો, કારણ કે પોતાના છોકરાં ના હોય તો બીજા કરનાર તો હોય ને ! પુણ્ય તો જોર કરે ને !