________________
છૂટ. લોકો દાદાશ્રીને કહેવા આવ્યા કે ફરી લગ્ન કરો બીજી સાથે. દાદાશ્રીએ કહ્યું કે પરણતી વખતે અમે એમને વચન આપેલું તે ના ફરે. બેઉ આંખો જાય, બેઉ પગ જાય તોય હું પાલવીશ. અમે પ્રોમિસ કરેલું છે. પ્રોમિસ ટૂ પે, પછી અમે કોઈ દહાડો ફરીએ નહીં.
[૧૬] આદર્શ વ્યવહાર દાદા-હીરાબાતો
[૧૬.૧] ગમ્મત કરી, હસાવે હીરાબાને દાદાશ્રી હીરાબા સાથે આ મોટી ઉંમરે નિર્દોષ ગમ્મત કરતા, એમના મનને બહેલાવતા. હીરાબાને હસાવતા, કે “આ પૈડપણ કોણે મોકલ્યું ?” તો હીરાબા કહે, “એ તો આવે. જવાની આવી, પછી પૈડપણ આવે. એ તો એની મેળે આવે.” એમને સારું લાગે, આનંદ થાય. [૧૬.૨] દાદા કહેતા હીરાબાતે - “તમારા વગર ગમતું નથી'
આ ઉંમરે હીરાબા માટે લાગણીઓ થાય. એમને કહેતાય ખરા કે તમારા વગર મને ગમતું નથી. તે લાગણીથી કહેતા. તે પછી હીરાબા અંદરખાને જાણે કે દાદાશ્રીને મારી માટે બહુ લાગણી છે. લોક પૂછે કે એવી લાગણીથી શું ફાયદો થાય ? દાદાશ્રી કહે છે કે અમારી લાગણી એને ચિંતા મટાડે અને લોકોની લાગણી અને ચિંતા કરાવે. લાગણી ત્યાં સુધી જ કહેવાય કે સામાને હેલ્પ કરે, નહીં તો ચિંતા કહેવાય.
દાદાશ્રી હીરાબા પ્રત્યે કાયમ લાગણીવાળા. ઘડીકમાં લાગણીઓ આમ વધી ગઈ ને ઘડીકમાં ઘટી ગઈ એવું ના હોય. એ અવળું કરે તોયે લાગણી રહે એવો એમનો પ્રેમ. લાગણી ચડ-ઊતર થયા કરે તે આસક્તિ.
દાદાશ્રી હીરાબાને કહેતા, અમે અમેરિકા ગયા, તે તમે સાંભર સાંભર થયા કરતા'તા. તે હીરાબાને એટલો બધો આનંદ થાય ! દાદાશ્રી કહે છે કે અમને સાંભરે એટલે યાદ ના હોય, અમને દેખાય અમારા જ્ઞાનમાં.
વ્યવહારમાં આમ હીરાબાને મળીએ, પણ અંદરથી અમે છૂટું કરી નાખેલું હોય. એ.એમ.પટેલ સિન્સિયર છે જ એમને, પણ હું સિન્સિયર નથી. વ્યવહાર નાટકીય કરવાનો છે. જ્ઞાની પુરુષનો વ્યવહાર જ જોવાનો છે. હીરાબાને ત્યાં જવાનું, ત્યાં જમવાનું. હીરાબા “હું શુદ્ધાત્મા છું' બોલે અને દાદાશ્રીના ચરણે વિધિ કરે.