________________
૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
બાળી મેલવાતી વસ્તુને રૂપાળી શી રીતે કહેવાય ?
દુનિયાને દેખાવ ગમતો હોય, માણસનો દેખાવ, તે હીરાબા એ બધી સો સ્ત્રીઓમાં પહેલો નંબર લાગે એવા દેખાવડા ! એટલે પછી આપણે બહાર ખોળવા જવાનું જ ના હોય ને !
ફાલ બેઠો ના હોય ને, ત્યાં સુધી સારું દેખાય બધું. તુવેરનો ફાલ બેઠો એટલે પછી પહેલા ફાલવાળું ને બીજા ફાલે, ત્રીજે ફાલે તો ખખડી ગયું હોય. એટલે મને સમજણ પડે કે આ પહેલા ફાલવાળું લાગે છે.
એક જણ તો શું કહે ? આ હીરાબા તો નાનપણમાં બહુ રૂપાળા હશે ને ? મેં કહ્યું, “પહેલો ફાલ હતો (પહેલું બાળક જન્મ્ય) ત્યાં સુધી.” રૂપાળા માણસ છે એવું કહીએ. તે આ છે તે ચામડી ગોરી, દેહકર્મી એવા સારા. પણ બાળી મેલવાની વસ્તુને તે આ રૂપાળા શી રીતે કહેવાય ? પણ વ્યવહારમાં કહેવું પડે. બાળી મેલવાની વસ્તુ નહીં ?
પ્રશ્નકર્તા: હા, બાળે જ છે ને બધા.
દાદાશ્રી : એ તુવેર ખખડી ગયેલી એને તમે જોવા જાવ ને, મહીં પેસવાનું ના ગમે. અને ફાલ બેઠો ના હોય તે જોવા જઉં તો એના પાંદડામાં હાથ અડે ને તોય હાથને કકરા ના લાગે આમ પાંદડા.
પ્રશ્નકર્તા: આમ રેશમ જેવા પાન. દાદાશ્રી : હા, આ સિમિલિ.
પ્રશ્નકર્તા : સિમિલિ બહુ ઊંચી છે, દાદાજી. અને આપની સિમિલિનો જેટલો જેટલો વિચાર કરીએ છીએ, એવું અંદરથી તત્ત્વ (સાર) બધું ખુલતું જાય છે. દાદાશ્રી: તો જ ગેડમાં બેસે. સિમિતિ સારી હોય ને, તો મેડમાં આવે.
દાદા કૃષ્ણ જેવા શામળા પણ રૂપાળા પ્રશ્નકર્તા: હીરાબાને મેં પૂછેલું ને, કે દાદા પૈણવા આવ્યા ત્યારે કેવા લાગતા હતા ? એટલે આમ મલકાઈ ગયા !