________________
४८
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
લાગે ખરી ? મૂર્શિત અવસ્થા ખરી ને ! મૂર્શિત અવસ્થા એટલે શું કે ભૂલતા વાર જ નહીં ને !
આવે તે જાય એનું નામ ગેસ્ટ અમારો છોકરો મરી ગયો, છોડી મરી ગઈ ત્યારે હું ખુશ થતો’તો. ખુશ થતો હતો એટલે એમ નહીં કે સારું, પણ હોય તોય હા, બરોબર છે અને ના હોય તોય કંઈ વાંધો નથી. કારણ કે એ ગેસ્ટ છે.
પ્રશ્નકર્તા : જ્યારે મહેમાન જાય છે ને, ત્યારે દુઃખ થાય છે.
દાદાશ્રી : આ તો પેલો ભ્રાંતિનો અમલ છે ને, એટલે આ બધું.... આપણે જાણતા નથી કે ગેસ્ટ છે આ. બાકી આ તો બધા ગેસ્ટ છે, આવે છે ને જાય છે. આવે-જાય એનું નામ ગેસ્ટ કહેવાય. તમારે ત્યાં ગેસ્ટ આવે કે નહીં ?
પ્રશ્નકર્તા: અમારે આ બે....
દાદાશ્રી : હા.. ગેસ્ટ, ત્યારે પછી ! ગેસ્ટને રાખીએ તોય ના રહે. ચાર દહાડા રહેવાના હોય ને પાંચમે દહાડે રાખીએ તોય ના રહે, નાસી જાય પાછો છાનામાનો. જો માનભેર આવ્યા'તા તો માનભેર કાઢો આપણે. એટલે આ માન આપ્યું, તે બધા મને વઢવા જ માંડ્યા. અરે, ના વઢાય. માનભેર જવા દેવા જોઈએ. પછી બબીબેન આવ્યા'તા ને એમને માનભેર બોલાવ્યા, માનભેર કાઢ્યા. તે આવ્યા ને ગયા બધા. પછી તો કોઈ છે નહીં, હું ને હીરાબા બે જ છીએ.
દેહ જ નહીં પોતાનો, તો છોકરાં ક્યાંથી પોતાના ?
પ્રશ્નકર્તા : દાદા, એ વખતે આપને અંદર શું સમજણ ઊભી થઈ હતી એ કહો ને !
દાદાશ્રી : એટલે મેં કહ્યું, આ મારે કંઈ લેવાદેવા છે આની જોડે ? હિસાબ હતો એ ચૂકતે કરી એ હંડ્યો એને ઘેર, હું મારે ઘેર જતો રહીશ. બા એમની ઘેર જતા રહ્યા, મૂળજીભાઈ એમને ઘેર જતા