________________
[૧.૨] ફેંટો ખસ્યો ને આવ્યો વિચાર
જ્ઞાત પહેલા પણ પરિણામલક્ષી દૃષ્ટિ
પ્રશ્નકર્તા : આપને પરણતા જ આવો વિચાર કેમ આવ્યો ?
૩૫
દાદાશ્રી : પૈણતી વખતે જ મને એવો વિચાર આવ્યો, કાં તો એમને રાંડવું પડશે, કાં તો મારે રાંડવું પડશે. પણ સરવૈયું તો આ જ આવશે. એવો વિચાર તો પૈણતી વખતે ના આવે, કોઈનેય ના આવે. જનમથી અમને આ ગુણ હોય. પરિણામ તરત પકડે. આનું શું પરિણામ છે એ ખબર જ પડી જાય. શું થાય ?
પ્રશ્નકર્તા : ખબર પડી જાય.
દાદાશ્રી : જગતને પરિણામ ના ખબર પડે, કાર્ય કરે જાય. એનું પરિણામ શું આવશે એવું બધામાં બધી વાતનો ખ્યાલ ના હોય, અમુક બાબતનો ખ્યાલ હોય. અને અમને દરેક બાબતમાં ખ્યાલ આવે. પરિણામ એટલે કાં તો એ રાંડશે ને કાં તો હું રાંડીશ. પણ રાંડવું તો પડે જ ને બેમાંથી એકને ? ગાડું ભાંગે પછી શું મઝા આવે ? પણ શું થાય તે ? પણ પૈણવું તો પડે ને ?
પ્રશ્નકર્તા : આપની સમજ જ્ઞાન પહેલાની આવી જ હતી ?
દાદાશ્રી : બધી બહુ સમજ હતી. એટલે ત્યારથી જ કશામાં રુચિ જ નહીં. એટલે આ મુશ્કેલીઓ આગળ આગળની દેખાયા કરે કે આમ મંડાણ તો થાય છે, મંડાપો ઊભો થશે, પછી તે બેમાંથી એક જણને રંડાપો આવવાનો કે નહીં ? તમને અનુભવ ખરો ? માજી કહે છે, ‘મને અનુભવ છે.’ રંડાપો આવ્યો, નહીં ? જો મંડાપો આવ્યો તો આવ્યો રંડાપો. માંડ્યું જ ના હોય તો રંડાપો ક્યાંથી આવે ? માંડે એ રાંડે. બેમાંથી એક જણને રાંડવું પડે કે ના પડે ? તમને કેમ લાગે છે ? તો
આ જોખમદારી લેવાની જ છે ને ? તે મને ત્યાં આગળ વિચાર આવ્યો, બળ્યો ! આ ક્યાં ફસામણમાં પેઠા ? એટલે મને આ બધું નહોતું ગમતું.
માંડીએ તો રાંડવું પડે તે
અને પૈણ્યા ત્યારે રાંડ્યા શું કરવા ?' ત્યારે કહે, ‘મરી જાય