________________
[૧.૨] ફેંટો ખસ્યો ને આવ્યો વિચાર
પછી. પછી વિચાર આવ્યો કે ‘આ આપણે બે લગ્ન કરવા બેઠા છીએ, પણ આ એકને તો રાંડવું જ પડશે ને જ્યારે ત્યારે.’ એવો વિચાર આવ્યો. એકને રાંડવું પડશે ને ? ના રાંડવું પડે ? એટલે એ વિજ્ઞાન હાજર થયું. પૈણવાનો મોહ તો ખરો જ, પણ એ મોહમાં આ વૈરાગેય ઊભો રહેલો. પણ સજ્જડ મોહ નહીં. સજ્જડ મોહ હોય તેને કશુંય વિચાર ના આવે ને !
પ્રશ્નકર્તા : ના આવે.
મૂર્છા વગરતો મોહ
દાદાશ્રી : તને વિચાર આવ્યો'તો આવો ?
૩૩
પ્રશ્નકર્તા : ના, નરી મૂર્છા, દાદા. અને પેલું દાદાજી આવું કહે ને ત્યારે ખ્યાલ આવે કે આપણે આવું કોઈ દિવસ વિચાર નહોતો કર્યો.
દાદાશ્રી : ખબર ના પડે આપણને માંહ્યરામાં બેસીએ ત્યાંથી, કે કચાશ છે તેથી માંહ્યરામાં બેઠા ને ? મોહના માર્યા બેસે ને ? મોહ હોય ત્યારે જ માંહ્યરામાં બેસે ને ? મનેય મોહ હતો ત્યારે માંહ્યરામાં બેઠો હતો ને ! પણ માંહ્યરામાં બેઠો ત્યારે જ પેલો ફેંટો ખસી ગયો ને એટલે વિચાર આવ્યો કે હારું પૈણવાનું તો ખરું, પણ રાંડવાનુંય ખરું ને, બેમાંથી એક જણને ! રંડાપો તો બેમાંથી એક જણને આવવાનો ને ! પ્રશ્નકર્તા : જેણે જન્મ લીધો એને જવાનું તો ખરું જ ને, વહેલું કે મોડું ?
દાદાશ્રી : ના, પણ આ તો પૈણતી વખતે બળ્યો આવો વિચાર આવ્યો ! એ વિચાર બહાર પડે ને, તો લોકો મારે.
પ્રશ્નકર્તા : એ તો પહેલાના વખતમાં આપને ખબર હોય તો પેલા વાજાવાળા હોય ને, એ લોકો ગાયન ગાય, વાજા વગાડે, પૈણવા બેસે ત્યારે કહે, ‘ન જોયો સાર આ સંસારમાં...' એમ કરીને એ વૈરાગ્યના ગીતો વગાડતા.
દાદાશ્રી : હા, વૈરાગ્યના ગીતો વગાડે.