________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : બરાબર, ગયા અવતારમાં નક્કી કર્યું હશે, પછી પાછું આ અવતારમાં પણ વિચાર્યું હશે ને કે કેવા જોઈએ છે ?
૪૨
દાદાશ્રી : મારી તેર વર્ષની ઉંમરે જોયેલું કે જ્યાં જ્યાં પાંચ-છ ધોરણ ભણેલી બૈરી હોય ત્યાં ક્લેશ હતો. ત્યારથી મેં નક્કી કરેલું કે ભણેલું વિપરીત બુદ્ધિવાળું બૈરું ન જોઈએ.
પ્રશ્નકર્તા : પછી બીજું શું નક્કી કર્યું હતું ?
દાદાશ્રી : અમને નાનપણમાં પૈણ્યા નહોતા ત્યારે ભાવ થયેલા કે આ જમાનાની બગડેલી છોકરીઓ જોડે ક્યાં પૈણવું ? પછી મનમાં ભાવ કર્યો કે એવીને પૈણવું કે ‘જે ગામડાની સીધી-સાદી, ભોળી હોય. આ છ ગામની છકેલી છોડીઓ તો આપણનેય વેચી ખાય એવી, એમની જોડે ક્યાં પોસાય ? આપણનેય ગીરવે મૂકી આવે.' પછી મારું એ સ્વપ્નું સાચું પડ્યું, તે હીરાબા સીધા-સાદા મળ્યા.
જેવા માગેલા કે આવા હોય તો સારું. સરળ-સીધા, આ છ ગામના નહીં, નાના ગામના નિર્દોષ હોય એવું. જાણે કબીર સાહેબના ઘેરથી આવ્યા હોય ને એવું જ !
શરૂઆતમાં દેખાઈ ઊણપ, પછી થયું સમાધાત
પ્રશ્નકર્તા : દાદા, હીરાબા આવા સાવ સીધા-સાદા મળ્યા તે તરત એક્સેપ્ટ (સ્વીકાર) થઈ ગયા કે પછી એમનામાં ઊણપ દેખાઈ ?
દાદાશ્રી : શરૂઆતમાં મારો અહંકાર જબરો હતો, તે પેલા પચ્ચીસ ફ્રેન્ડના ટોળામાં ફરીએ ત્યારે મનમાં એમ થાય કે, બધાની સ્ત્રીઓ સિનેમામાં જોડે આવે છે, બીજી વાતચીત કરે, ફ્રેન્ડ જેવી રહે છે અને મારે આવી ક્યાંથી આવી ? એટલે મને ચેન નહોતું પડતું. પછી તો ભાઈબંધો મને શું કહે, “તમારા જેવો સુખિયો કોઈ નથી. જોને, તમારા પત્ની કશું સામું બોલતા નથી. કોઈ દહાડો સામું બોલ્યા નથી. તમે કહો, ‘ચા’ તો તરત બનાવીને આપી જાય.' તે આ મહીં હિસાબ તો ખરો કરી રાખેલો ! ભાઈબંધોને ક્યાં આગળ એની વાઈફ કડવી લાગે છે,