________________
[૧.૩] બુદ્ધિના આશયમાં હીરાબા
તે મને ખબર નહીં. હું તો એની પર મીઠાશ જોઉ ઉપરથી, ભઈબંધને મહીં કડવી લાગતી હશે ! તે તો એ જાણે, એમના અનુભવ એ જાણે. તેથી જ તો મને કહે કે ‘તમે ખરા સુખિયા છો.'
૪૩
તો બોલો, અમારે કશી ડખલ નથી. જેમ દોરવણી આપીએ એમને તેમ ચાલે. મતભેદ નહીં, ભાંજગડ નહીં. તે બે મન ભેગા થયા, હીરાબા મળ્યા તે અમારા કહ્યા પ્રમાણે જ બધું, કોઈ દહાડો બીજું આઘુંપાછું નહીં. હું કહું કે ‘સિનેમા જોવા જવું હોય તો તમે જજો, આ બધા જાય છે એની જોડે.’ ત્યારે કહે, ‘ના, તમને ના ગમે એ મને ના ગમે.’ એવું જ રાખેલું ને, તે બહુ સારું. અમારે તો મેળ બહુ સારો પડ્યો. જેવું ટેન્ડર ભરેલું હતું તેવું જ મળ્યું. ટેન્ડર જ એવું ભરેલું, કે આવું હોવું જોઈએ.
પૂજ્ય તીરુમા સંપાદિત વાણીમાંથી...
આ વાતોનો તાળો પૂજ્ય દાદાશ્રી પાસેથી મળતો. દાદાશ્રી કહેતા ‘અમે તો એવું નક્કી કરેલું કે અમારા ધર્મમાં, અમારા કામમાં ક્યારેય ડખોડખલ ના કરે, સીધા-સાદા હોય, ભદ્રિક હોય, તેવા મળે તેની સાથે પરણવું. અમારા લગ્ન માટે ઘણી જગ્યાએ વાતચીતો ચાલતી, તેમાં હીરાબાની વાત આવી ને અમે એમને ‘હા' પાડી. અમને તે જ યોગ્ય લાગેલા. વળી દેખાવમાંય હીરાબા બહુ રૂપાળા હતા.'
܀܀܀