________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
રંડાપો તો આવશે બળ્યો ! બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે, કાં તો મને આવશે.
પ્રશ્નકર્તા: એટલે પછી લગ્નનો આનંદ જતો રહ્યો એ વિચારથી ?
દાદાશ્રી : આનંદ તો હતો જ નહીં. અહંકારનો જ આનંદ હતો, હું, હું.” મોહનો આનંદ નહોતો, અહંકારનો. “કંઈક છું, હું કંઈક છું તેનો આનંદ હતો. લોકોને મોહનો આનંદ હોય.
એટલે પછી એ એના મોહમાં ને આપણે અહંકારમાં, હં. હં... પણ છેવટે પૈડું ભાગી જવાનું. ત્યારથી જ મને ખબર, કે “આ રંડાપો આવવાનો.” પછી શું થાય આપણને ?
વગર કારણે વૈરાગ કોઈ વિરલાને જ આવે લોકોને પૈણતી વખતે જ વૈરાગ આવે ને? ક્યારે વૈરાગ આવે ? પ્રશ્નકર્તા ? ત્યારે તો ના જ આવે, પછી જ આવે ! દાદાશ્રી : તે વખતે ના આવે ? પ્રશ્નકર્તા ઃ એ વખતે તો ક્યાંથી આવે ? દાદાશ્રી : એ શું કારણ? પૈણતી વખતે વૈરાગ ના આવે ? પ્રશ્નકર્તા : એ સામી થાય ત્યારે વૈરાગ આવે.
દાદાશ્રી : એ વૈરાગ આવે ત્યારે એ કારણથી કાર્ય બન્યું કહેવાય. અને વગર કારણે વૈરાગ આવે તે જુદું. મને પૈણતી વખતે વૈરાગ આવ્યો હતો. આમ સાફો નવો હતો કે, તે એના ઉપર ખૂપના બોજા ! અમારે ત્યાં તો બીજા બહુ નાખે ને મૂઆ, બધા ઢગલાબંધ ફૂલો ઝૂંપના. તમારામાંય નાખતા જ હશે ને ?
પ્રશ્નકર્તા: હા, થોડા નાખે.
દાદાશ્રી : ઊલટું સાફો નવો તે ખસી ગયો. માહ્યરામાં બેસાડ્યા, પણ આપણે જોવાય નહીં ત્યારે શું થાય ? આમ ઊંચું કરીને જોવા માંડ્યું