________________
[૧.૩]
બુદ્ધિતા આશયમાં હીરાબા
ગયા ભવતી ભાવતાનું પરિણામ
પ્રશ્નકર્તા : દાદા, તમને પરણતી વખતે આવો વિચાર આવેલો એટલે ખરેખર કેટલો બધો વૈરાગ હતો, તો પણ આ પરણવાનું કેમનું ઉદયમાં આવ્યું ?
દાદાશ્રી : એ બધી અમારી પહેલા ભાવના હતી ને !
પ્રશ્નકર્તા ઃ ભાવના કરેલી ગયા અવતારમાં ?
દાદાશ્રી : હા, આ હીરાબા એ અમારી ભાવના પ્રમાણે જ મળેલા. વહુ આવી હોવી જોઈએ, મારા સામી ના થાય. મને મુશ્કેલીમાં મેલે નહીં. કોઈ દહાડો મેં તો એમના તરફથી અક્ષરેય સાંભળ્યો નથી.
બુદ્ધિતા આશયમાં આવું ટેન્ડર ભરેલું અમે
અમે તો અમારી મેળે નક્કી કરેલું કે ‘પૈણવું છે કે કુંવારા રહેવું છે ? તો ભઈ, પૈણ્યા વગર ના ચાલે. હું કરીશ ખરો આત્માનું, પણ મને પૈણ્યા વગર નહીં ચાલે. પાછો સંસારમાં રહીને કરીશ.' કોઈ પૂછનાર નથી, આપણો ને આપણો નિશ્ચય જ છે. ત્યારે કહે, કેવી જોઈશે ?’ આપણે પૂછીએ કે ‘મારા હાથમાં છે, કેવી જોઈશે તે ?” ત્યારે કહે, “બધું તમારા હાથમાં છે, આ તમારી દુનિયા ‘તમે’ ક્રિએટ કરી