________________
૧૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : રોફવાળો. દાદાશ્રી : પેલો માર્કેટ મટિરિયલ કહેવાય.
પ્રશ્નકર્તા : દાદા, એ વખતે બેઠેલા અને આ વખતે બેઠા, એમાં અંદરની જે પરિસ્થિતિ હોય એમાં કેવું રહેતું હતું ? પહેલા કેવું રહેતું હતું ને હમણાં આ આવા ટાઈમમાં કેવું રહે ?
દાદાશ્રી : આ ટાઈમમાં તો સમતા જ હોય ને બિલકુલેય. તે દહાડે તો મોહ ખરો ને !
પ્રશ્નકર્તા એટલે કેવું રહે એમાં? કરુણા રહે છે આ ફેરે, દાદા? દાદાશ્રી : આ ફેરે કરુણા, બીજું શું? આ કરુણા એટલે આમ.. પ્રશ્નકર્તા: જગત કલ્યાણ થાય એવું હોય ને ?
દાદાશ્રી : બધા લોકોનું કલ્યાણ થાય અને બધે જે જે કરતા કરતા જઈએ ને !
પ્રશ્નકર્તા : એ કરુણા જ કહેવાય ને, દાદા ? દાદાશ્રી : અને તે દહાડે અહંકાર હોય.
પ્રશ્નકર્તા : દાદા, એ વખતે તો મનમાં એમ થાય ને કે બધા મને જુએ ?
દાદાશ્રી : હા, એવું બધું. પ્રશ્નકર્તા : એ બધું દેખીને જરાકે મહીં ટાઈટ.
દાદાશ્રી : હા, હા, એ દેખાડવાનો અહંકાર હોય. કેમ કરીને લોકો મને જુએ, મારો સાફો જુએ, એવું બધું હોય.
લગ્ન પહેલા સાધારણ જોયેલા હીરાબાને પ્રશ્નકર્તા : દાદા, આપે હીરાબાને જોયેલા લગ્ન પહેલા કે એમ પહેલાની માફક જ લગ્ન થયેલા ?