________________
૨૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
‘એ' ટાઢા પાણીએ નહાતા
હીરાબા : એ ટાઢા પાણીએ નહાતા હતા.
નીરુમા : કેમ ?
હીરાબા : એ તો પહેલેથી ટાઢા પાણીએ નહાતા.
નીરુમા : એમ ! પહેલેથી ટાઢા પાણીએ નહાતા ? હીરાબા : હા, ત્યારે શરીર સારું ને !
પૂજ્ય તીરુમા સંપાદિત વાણીમાંથી... તે દહાડે ‘સુખપાલ’માં
૧૯૮૬માં અમેરિકાથી આવ્યા બાદ પૂજ્ય દાદાએ પૂજ્ય બાની તબિયત જોઈને નક્કી જ કરેલું કે બા પાસેથી એક દિવસ પણ ખસવું નથી. તેથી વડોદરામાં જ નાના રસિકભાઈને ત્યાં મુકામ રાખેલો. દરરોજ રાત્રે પૂજ્ય બાની વિધિ કરે ને બે કલાક પૂજ્ય બા પાસે બેસે. મહાત્માઓ પણ બેસે.
એક દહાડો આમ જ બધા બેઠા હતા. વરઘોડાની વાત નીકળી. પહેલા બગી ને ઘોડા ઉઘલતા, પૂજ્ય દાદાને મેં પૂછયું, ‘દાદા, તમે શેમાં ઉઘલેલા (પરણવા નીકળેલા) ?' ત્યારે પૂજ્ય દાદાએ કહ્યું, ‘સુખપાલમાં (પાલખીમાં). એ જમાનામાં તો એમાં ઉદ્દલવાનો વટ હતો. બે જણ એને ઊંચકે અને અમે પાછા પૈઠણિયા વરને ! તે જમાનામાં અમારા ફાધરે ત્રણ હજાર રૂપિયાની પૈઠણ લીધી. અમારી કિંમત બહુ ને !'
મેં બાને પૂછયું, ‘બા, દાદા ત્યારે કેવા દેખાતા હતા ? શું પહેર્યું હતું ?” બાએ કહ્યું, ‘માથે સાફો પહેર્યો હતો. બહુ રૂપાળા લાગતા હતા.’ બાએ સત્યોતેર વર્ષની ઉંમરે નવોઢાની જેમ શરમાતા શરમાતા કહેલું !
મેં પૂછયું, ‘બા, તમે તો કેવા ગોરા ગોરા છો ને દાદા તો શામળા