________________
[૧.૧] પરણતી વેળાએ
દાદાશ્રી : છતાંય હીરાબાને તમે પૂછો તો ‘આ રૂપાળા નથી’ એવું કહે, એમનું રૂપ ઓછું થાય નહીં એટલા માટે. અને અંદરખાને જાણે કે ‘તે બહુ રૂપાળા છે' પણ દુનિયામાં એમનું રૂપ ઓછું ગણાય ને એટલા હારુ બોલે નહીં. અને હુંયે કહું કે એ રૂપાળા છે બા.
અને પાછા એમનામાં કાળા ઓછા હોય. કેવા હતા ?
પ્રશ્નકર્તા : એકદમ ગોરાગપ.
દાદાશ્રી : અને દેહકર્મી હતા ને ?
પ્રશ્નકર્તા : બહુ જ.
દાદાશ્રી : દેખાવડા.
પ્રશ્નકર્તા : બહુ રૂપાળા હતા.
દાદાશ્રી : શું થાય ? હવે અત્યાર સુધી જોડે જ હતા ને ! ફોટો છે ને ! એ તો ગોરા, હું શામળો. ‘હું શામળો' એવું હીરાબાને કહ્યું, ગમ્મત કરવા હારુ, ખીલવવા હારુ એમને. તો ‘શામળો ના બોલશો હવે, તમે તો કૃષ્ણ જેવા છો. બહુ રૂપાળા છો. રૂપાળા આવા હોય !' એવું કહે. મેં કહ્યું, ‘કેવા રૂપાળા ?” તો કહે, ‘આવો ઝવેરબાએ કોઈને જન્મ આપ્યો તે અજાયબી છે ! ઝવેરબાએ જન્મ આપ્યો ને, અને બાને પેટે જ આવો અવતાર થાય !' અને પહેલેથી તેઓ માનતા, દાદા કંઈક વિશેષ છે.
૭
પોંખતારીને સમજ્યા હીરાબા
અમે તો પૈણવા ગયા ત્યારે પોંખનારી આવીને તે હીરાબા કરતા વધારે રૂપાળી દેખાતી'તી. ત્યારે મને થયું, ‘આ જ હશે એ પેલા.’ અને નાની ઉંમરના હતા. ત્યારે મેં કહ્યું, આમનામાં રિવાજ એવો હશે, તે ખોટું પડ્યું પછી. પોંખનારીને પૈણે એવા લોક નથી હોતા ? અમને પોંખનારી આવી, આ પણ ફજેતો થયો બધો ! ફજેતો ના કહેવાય બધો ?