________________
અમે લઢીએ એવું કે એનું મન જુદું થાય જ નહીં. જ્ઞાની પાસે બધી જ બોધકળાઓ છે, જ્ઞાનકળાઓ છે, નહીં તો આ લોકોનું શી રીતે કલ્યાણ થાય !
હીરાબાએ બારણું પછાડ્યું, સ્ટવ પછાડ્યો એ નાના પ્રકારનું ત્રાગું કર્યું, દાદાશ્રી કહે છે કે એની સામે અને મોટા પ્રકારનું ત્રાગું કર્યું. આખી જિંદગીમાં અમે એટલું ત્રાગું કરેલું તેય પારકા હારુ, ધર્મને માટે કરવું પડેલું. એમણે એમના કર્મના નિયમથી ત્રાગું કરેલું, જ્યારે દાદાશ્રીએ જ્ઞાનમાં રહીને જાણીબૂઝીને કરેલું. દાદાશ્રી કહેતા કે અંબાલાલભાઈ કર્યા કરે ને “હું જ્ઞાનમાં રહું. [૧૩] દાદા-હીરાબા, કબીર સાહેબ ને એમના પત્ની જેવા
દાદાશ્રીના ભાગીદાર કહેતા કે સંસારમાં તમે બીજા કબીર સાહેબ છો. ત્યારે હીરાબા કબીર સાહેબના બીબી જેવા જ છે ! દાદાશ્રી કહે છે, કબીર સાહેબના બીબી જેવા હીરાબા, પણ અમને ધણી થતા ના આવડતું હોત તો લગ્નજીવન ફેક્યર થઈ જાત. હું તો જ્ઞાની પુરુષ, અમને ધણી થતા આવડે. હીરાબા કંઈ જ્ઞાની છે ? તે અમારી જોડે એડજસ્ટ થાય છે ? ના, અમે જ્ઞાની છીએ, એટલે દરેક વખતે અમે હીરાબાને એડજસ્ટ થઈ જઈએ. જ્ઞાનીએ જ દરેક જગ્યાએ એડજસ્ટ થવું પડે. છતાં હીરાબા સાથે ક્યારેય મતભેદ નથી પડ્યો એ તો અમારી પુણ્ય અને એમનીયે પુણ્ય ! આ અમે નિવેડો શી રીતે કરીને બેઠા છીએ, તે અમે જ જાણીએ છીએ. કારણ કે અમારું બોધકળાવાળું જીવનને !
[૧૪] દાદાની દષ્ટિએ હીરાબાના ગુણ દાદાશ્રીની દૃષ્ટિએ હીરાબા બહુ સારા માણસ. એ પોતે નિર્દોષ સ્વભાવના. કોઈને માટે ખરાબ વિચાર તો એમને આવેલો જ નહીં. એમનું નુકસાન કરી ગયો હોય ને, તોય એને માટે ખરાબ વિચાર ના આવે. દિવાળીબાના ખેતરમાં ભાગ નહોતો તોયે તે ભાગ માંગતા હતા, તો હીરાબા કહે છે, “એમની જોડે ક્લેશ-કંકાસ ના કરશો. એ કંઈ જોડે લઈ જવાના છે, હુંયે કંઈ જોડે લઈ જવાની છું !”
બાકી સ્ત્રી જાતિ તો સ્ટેનલેસ સ્ટીલના વાસણ ને બધું સંભાર સંભાર
40