________________
સીધી રહે. જે ગુસ્સો નથી કરતો એનો તાપ બહુ સખત હોય. દાદાશ્રી કહે છે, અમે કોઈને કોઈ દહાડોય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે.
વાઈફ ગમે તેવી અકડાઈ જાય, છતાં પોતે ઠંડકમાં રહે, ત્યારે પેલીને સુધારી કહેવાય. દાદાશ્રી કહે છે કે હીરાબાને કોઈ દિવસ વઢવાનું નહીં, ગમે તેવું ઊંધું-છતું થાય તોય. વઢું તો નાલાયક કહેવાઉ. સ્ત્રીને વઢાય નહીં, વઢવું એ ગુનો છે. લઢવાથી માણસનું વજન તૂટી જાય. દાદા પોતે ના લઢે એટલે જ હીરાબાને ગભરામણ પેસી જાય.
સ્ત્રીનું જો માન રાખતા હોય તો જ એ પુરુષ કહેવાય. દાદાશ્રી કહે છે, અમે ઠેઠ સુધી હીરાબાનું માન રાખેલું. એ વઢે તોયે ચલાવી લઉં. કારણ કે એમનું મન નબળું હોય, મારું મન કંઈ નબળું છે ? તમે મને વઢો માટે કંઈ મારાથી તમને વઢાય ? નહીં બોલવાથી જ વજન પડે.
| [૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય દાદાને અને હીરાબાને કોઈ દહાડો મતભેદ નહોતા પડતા, છતાં જ્ઞાન થયા પછી એક પ્રસંગ એવો બન્યો હતો કે મતભેદ પડી જાય.
દાદાશ્રીના ઘરની સામે એક કુટુંબ રહે. ઝવેરબાના વખતથી એમની સાથે મેળાપ હતો, તે હીરાબા અને દાદાને એમની સાથે બેઠકનો વ્યવહાર. જ્ઞાન થયા પછી લોકો દાદાને ત્યાં દર્શન માટે આવવા માંડ્યા. ત્યારે હીરાબા ઘણીવાર સામા ઘરે ત્યાં બેસવા જતા.
તે પેલી બંને હીરાબાને ફટવ્યા કે જુવાન છોકરીઓ દાદાશ્રીને પગે લાગે છે, તે દાદાનું મન ફરી જશે. તે હીરાબા ગભરાયેલા કે આપણી આબરૂ શી રહે? દાદાશ્રી જાણતા હતા કે પેલી બઈએ આમનામાં રોગ ઘાલ્યો છે.
તે પછી એક દહાડો એક બેન દાદાશ્રીને પગે વિધિ કરતી હતી. હીરાબાએ કચરો વાળતા વાળતા ભડાક કરતું બારણું અથાડ્યું. તે પેલી બેન ચમકી ગઈ. વિધિ પૂરી થયા પછી બેન ગઈ. પછી દાદાશ્રીએ હીરાબાને પૂછયું, શું થયું હવે ? આ બારણું કેમ અથાડ્યું તમે આવું ? હીરાબા તો કહેવા માંડ્યા, “કશું નહીં, મેં તો સાધારણ અથાડ્યું.” દાદાશ્રી કહે છે, “તમે શું ભાવથી અથાડ્યું, તે હું સમજી ગયો. આની પાછળ ચાળા છે ! તમને શોભે નહીં, તમે મોટા માણસ. કોઈને ત્રાસ પડે એવું ના
38