________________
ઢળી પડેલા નથી તેમ જ “મારી વાઈફ' એવા મોહથી વ્યવહાર તરફ ઢળી પડેલા નથી. આદર્શ પતિ તરીકેનો વ્યવહાર પોતે કર્યો અને વાઈફનેય આદર્શ પત્ની તરીકે વ્યવહારમાં લાવ્યા. ક્યાંય મતભેદ નહીં, ક્લેશ નહીં એવું જીવન નિભાવ્યું. ભર્તૃહરી રાજા તરીકે આબેહુબ અભિનય અને અંદરખાને લક્ષ્મીચંદ તરગાળો એ જેમ નાટક ભજવી જાય તેવું બહાર પતિ તરીકેનો હાર્ટિલી લાગણીવાળો અસલ વ્યવહાર અને અંદરથી પોતે આત્માપણે રહી નિર્લેપ રહ્યા, અસંગ રહ્યા. વ્યવહાર-નિશ્ચય બન્નેની પૂર્ણતાવાળી અદ્ભુત દશા આપણને જાણવા મળે છે.
“માનીને માન આપી લોભિયાથી છેતરાય,
| સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય; છતાં મૌન આશિષે જ્ઞાનબીજ રોપીને,
સહુને મોક્ષમાર્ગે લઈ જાય.” એ ઉક્તિ અહીં દર્શાવેલ પ્રસંગો પરથી સાર્થક થાય છે.
[૧૯] હીરાબાના હાથે દાતા મહાત્મા મંદિરમાં દાન કરે તે એક ભાઈએ હીરાબાના હાથે દાન અપાવ્યું. તો હીરાબા કહે છે કે આમાં હું લઈને આપું છું, એમાં મારું શું ? તમારા એ તમારા ને મારા એ મારા. આવું બોલ્યા તે દાદાશ્રીને થયું કે આમની ભાવના છે, બે લાખ આપવાની. તે પછી એમના હાથે બે લાખ દાન મંદિરમાં અપાવેલું.
[૨૦] રહ્યા મામાની પોળમાં જ મામાની પોળમાં જે ભાડાનું ઘર હતું ત્યાં હીરાબા રહેતા. કોઠી ઉપર જે નવું ઘર બાંધ્યું ત્યાં દાદાશ્રી રહેતા. હીરાબા તોંતેર વર્ષના ને દાદાશ્રી પંચોતેર વર્ષના. મકાન બંધાવ્યું કોઠીમાં, ત્યાં રહેવા જવાનું થયું પણ હીરાબાથી ઉપર દાદરા ચઢાય નહીં, તેથી તેઓ કોઠીના નવા ઘરે ના આવ્યા. અને છેલ્લે મામાની પોળમાં જ રહ્યા.
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં.... હીરાબાની ઉંમર તોંતેર વર્ષની, પગની તકલીફ છતાં આખો દહાડો આનંદમાં જ રહેતા. આ સારું છે ને આ ખરાબ છે એવી ભાંજગડ જ
46