________________
રિવોલ્યુશનમાં ઘણો ડિફરન્સ હતો. દાદાશ્રી ક્યારેય પોતાની સમજણ બાની ઉપર ઠોકી બેસાડતા નહીં. એમને એવી રીતે ધીમે રહીને વાત કરે તો હીરાબા પછી માને. દાદાશ્રી કહે, “હું શાનો ભગવાન, ભગવાન તો કૃષ્ણ ભગવાન !” તો બા કહેશે, “ના, તમે જ ભગવાન.” દાદાશ્રીની દૃષ્ટિ એક ડગલું પણ સમ્યક્ માર્ગ હીરાબાને વાળવા એ હતું. સો ટકા ફેરફાર થઈ જાય એવું દબાણ જ નહીં, પણ એક ડગલું, એક ટકોય સવળી સમજણે ચઢ્યા તો બહુ થઈ ગયું.
એટલે દાદાશ્રીએ ધીરજથી કામ લીધેલું. એમણે સમજણપૂર્વક કળાથી કામ લીધેલું. અલબત્ત દાદાશ્રીની નજીકની ફાઈલ બનેલા હીરાબા, તે ઊંચી સમજણેય લાવેલા. અને જ્યાં એમની કચાશ હોય ત્યાં દાદાશ્રી ધ્યાનમાં રાખીને ઝીણવટથી ઊંચી સમજણ ફીટ કરાવી શકતા હતા.
દાદાશ્રી હીરાબાની પ્રકૃતિ ઓળખીને ખૂબ વીતરાગતાથી પતિપણાના કોઈ દબાણ વગર અને એમને કેમ આનંદ રહે તેનું જ ધ્યાન રાખીને અવળું બોલીને પણ સવળું જ્ઞાન ફીટ કરાવતા. દુઃખ થાય એવા પ્રસંગોમાં જેમ કે ડૉક્ટરની ભૂલથી આંખ ગઈ, ઘડપણના દુઃખ આવ્યા ત્યારે દાદાશ્રી અવળું બોલીને પણ હીરાબાને સહી કરાવી દેતા કે જે બન્યું તેમાં મારા જ કર્મનો દોષ છે ને મારે કોઈ સામે ફરિયાદ નથી. દાદાશ્રીએ પ્રકૃતિ ઓળખી હતી કે હીરાબા બહુ સરળ છે, કોઈને દુઃખ આપે એવા નથી પણ જો કોઈ ઊંધું ચડાવી જાય તો પાછા એવા સરળ છે કે અવળે પણ ચઢી જાય. તો એમનાથી ખોટા કર્મ ન બંધાય એટલે પોતે જાતે ખરાબ બનીને પણ હીરાબાને અવળે ચઢવા દીધા નહોતા. દિવાળીબા જેવી ચીકણી ફાઈલ સાથે પણ દાદા બનાવટી વઢે એટલે હીરાબા દિવાળીબાનું ઉપરાણું લે તેમ કરીને પણ વેર ના રાખે તેવી દિશામાં હીરાબાને ફેરવી નાખે. મોક્ષના ખરા સાથી કેવા હોય, તે આવી દાદાની બોધકળા જોઈને શીખવા મળે.
હીરાબાના જીવનમાં દિવાળીબા તરફથી તકલીફો આવેલી છતાં દિવાળીબા ઉપર રીસ નહીં, બદલો નહીં. એવી કેટલીયે સ્ત્રી-પ્રકૃતિ હીરાબામાં ખલાસ થઈ ગયેલી. સદા સંતોષ, ચીજવસ્તુઓ માટે મોહ નહીં. છોકરાં પ્રત્યે મોહ હતો, તે દાદાશ્રી કહે કે મોટા થઈને દારૂ પીને મારશે એવા જોઈએ ? તો બા ના પાડે. આજુબાજુના છોકરાં મોટા થઈને મા
44