________________
કરે, એવું તેવું હીરાબાને કશું સંભારવાનું જ નહોતું. કશું યાદ જ ના હોય. દાદાશ્રી કહે છે કે તેથી અમને હીરાબા થકી કશી અડચણ નહીં પડેલી, હીરાબાને કોઈ જાતની ઈચ્છા નહીં, કે મારે આ જોઈએ છે, તે જોઈએ છે. કશી ઈચ્છા વગર જીવવાનું, કશી મમતા નહીં. સોનું-દાગીના કશું માગે-કરે નહીં. લોકો કહે, હીરાબા માટે સોનાના દાગીના કરાવો, તો કરાવે. તેય જ્યારે દાદાને પૈસાની અડચણ પડેલી ત્યારે હીરાબાએ દાગીના બધા વેચવા આપી દીધેલા. એટલે હીરાબા વખાણવા જેવા.
ઝવેરબા(દાદાશ્રીના મધર)ના ગયા પછી ઘરનો વહીવટ-વ્યવહાર હીરાબાએ સાચવેલો. તેઓ કોઈને વઢ્યા નથી, કોઈને દુઃખ દીધું નથી, બધાને સારી રીતે પ્રેમથી-ભાવથી જમાડેલા ! લોકો તો હીરાબાને ‘અન્નપૂર્ણા’ કહેતા.
દાદાશ્રીએ વિશેષ નોંધ એ કરેલી કે એમનામાં આવા ભયંકર કળિયુગમાંય વિકારી દોષ નહોતો. એકેય ડાઘ નહોતો પડ્યો. હીરાબાની જેમ દિવાળીબાએ (દાદાશ્રીના ભાભી) પણ ચારિત્રની બૂમ પડવા દીધી નથી. એની જ દાદાશ્રીને બહુ મોટી કિંમત હતી.
દિવાળીબાથી પ્રકૃતિવશાત્ હીરાબાને અડચણ પડેલી, પણ હીરાબાએ ક્યારેય દાદાશ્રીને કે કોઈનેય ફરિયાદ કરેલી નહીં. પોતે સહન કરી લે. રાંડ્યા પછી પાછલી ઉંમરમાં વડોદરા રહેવા આવવાનું થયું દિવાળીબાને, પણ હીરાબા તરફથી કોઈ વેર નહીં, કોઈ રીસ રાખી નથી. [૧૫] ‘પ્રૉમિસ ટ્ પે’
હીરાબાને આંખમાં કંઈક તકલીફ થયેલી, તે ડૉક્ટર પાસે બતાવવા ગયેલા. પછી એવું થયું કે સારવાર પછી એક આંખનું વિઝન જતું રહેલું. લોક કહે કે ડૉક્ટરની ભૂલથી આંખ જતી રહી. તે દાવો માંડો ડૉક્ટર ઉપર. ત્યારે હીરાબા કહે, ‘ના, એની ઈચ્છા એવી નહોતી. એની ભાવના મારા તરફ સારી હતી, એનો બિચારાનો શો ગુનો ? મારે ભોગવવાનું હશે તે આવ્યું, એનો શો દોષ ?’
દાદાશ્રીને બાળકો નહોતા. હીરાબાની એક આંખ જતી રહી, તેથી સમાજના લોકોને માટે એક નવો વર ઊભો થયો. તે દહાડે કન્યાની બહુ
41