________________
મુલાસ
[૮૦૫
1 લેખસંગ્રહ પાંચ ભાગમાં વહેંચાયેલું છે. સમાજદર્શન, તત્વચર્ચા, ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિ પરિચય. આ પાંચ વિભાગમાં સમાંતા લેખેનું હાઈ વિચારતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકનું માનસિક વલણ જ એવું છે કે તે જડ–ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, વ્યવહાર–પરમાર્થ, વ્યક્તિ-સમાજ આદિ અનેક વિષયોને લગતી વિવિધ બાબતે અને વિગતેને સ્પર્શે છે; પણ તે કુતૂહલપૂર્ણ જિજ્ઞાસાથી અને કાંઈક નક્કર સત્ય તારવી આપવાની ધગશથી -જ. તેથી જ દરેક મુખ્ય વક્તવ્યમાં વિશાળતા સાથે તલસ્પર્શી ઊંડાણું પણું નજરે પડે છે. લેખકને ગુજરાતી ભાષા ઉપરનો કાબૂ તે અદ્ભુત છે. પ્રત્યેક લખાણમાં ભાષાનું એકસરખું ધોરણ નજરે પડે છે. આવી શિષ્ટ, સુપ્રસન્ન અને વેગીલી ભાષા ઓ જેવી તેવી સિદ્ધ નથી. લેખન વિષય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય ત્યાં પણ ભાષા અને શૈલી વાચકને વિચાર-વિહાર સાથે સાહિત્યવિહાર પણ કરાવે છે. ઋતુવર્ણનને આ વિભાગ લેકભાષામાં એક નવું પ્રકરણ ઉમેરતા હોય તેમ લાગે છે. સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં ગ્રથિત એવાં ઋતુઓને લગતાં ગદ્ય-પદ્ય વર્ણને અનેક છે. એ વર્ણનમાં અમુક માદકતા પણ હોય છે, પરંતુ પ્રસ્તુત “ઋતુવર્ણન’ જુદી જ ભૂમિકા ઉપરથી પ્રસવ પામ્યું છે, એમ કોઈ પણ વાચકને લાગ્યા વિના નહિ રહે. વિદ્યાથીઓ, “શિક્ષક અને પ્રાધ્યાપકે સુધ્ધાંને આ ઋતુવર્ણન’ વાંચ્યા પછી કેઈ ઋતુમાં કંટાળો નહિ આવે. દરેક ઋતુની વિશેષતા ધ્યાનમાં આવવા સાથે. વાચકને પ્રકૃતિસ્વરૂપ સાથે તાદામ્ય અનુભવવાને નાદ લાગવાને. શરદ, વર્ષ અને બહુ તો વસંતનું વર્ણન સૌને ચે, પણ આજ લગી ધગધગતો ઉનાળો કેને સ છે? જ્યારે આ લેખકે ઉનાળામાં પણ સારો આનંદ માણ્યો છે અને એ જ આનંદના સંવેદનમાંથી ઉનાળાનું ગદ્યકાવ્ય સરી પડયું છે. શિયાળાની કડકડતી ટાઢની ખુમારી લેખકે જે અનુભવી છે તે બીજાઓ પણ અનુભવી શકે. પરંતુ તે ક્યારે? જે પ્રકૃતિના એ શીતલ પાસા પ્રત્યે તદન સાહજિક સમભાવ હોય તે જ. લેખકે જુદી જુદી ઋતુઓનાં અનુભવેલ પાસાંઓને કળામય રીતે રજૂ કરી પ્રકૃતિના ગમે તે સ્વરૂપમાંથી પણ સુખ મેળવવાની કળા-ઈન્દ્રિય જાગ્રત કરી છે. મને એમ લાગે છે કે “ઋતુવર્ણનને, આ વિભાગ અભ્યાસક્રમના ઊંચા ધોરણમાં રાખવા જેવો છે, અગર તે વિદ્યાર્થીએને વાંચવાની ખાસ ભલામણ કરવા જેવો છે.
: “પ્રવાસવર્ણનમાં કુલ સાત લે છે. દરેકને પિતાપિતાની આગવી વિશેષતા છે. ગેપનાથને કિનારે, સમુદ્ર, તેફાની પવન, એકાન્ત શાન્તિ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org