________________
પત્રાંક-૬૭૯
૩૩ જાય છે. મુમુક્ષુએ કોઈપણ વક્તાને સાંભળતા ત્યાં સાવધાની રાખવાની જરૂર છે.
આપણે તો આત્મતત્ત્વ અને આત્મતત્ત્વ જેનાથી પ્રાપ્ત થાય છે એવું જે ધર્મ તત્ત્વ, વીતરાગી પરિણામ એ બેય ઉપરનો રસ કેટલો જામે છે ? એ પોતાને જો રસ હોય તો એમાં Inter link જેને કહેવામાં આવે છે એ સંબંધ જોડાય છે. શ્રોતાને એ રસ હોય તો સામા રસવાળાની સાથે લીન થઈ જાય છે, એકતાર થઈ જાય છે. જો પોતાને જે રસ હોય એ સામે રસ ન આવે તો એને રસ નથી પડતો.
વક્તાને અધ્યાત્મરસ હોય અને જો શ્રોતાને અધ્યાત્મરસ ન હોય તો શ્રોતાને નહિ મજા આવે. તો એને એમ થશે કે આવી બધી વાતો ઊંચી ઊંચી હોય. ગંભીર. બહુ ન સમજાય એવી સૂક્ષ્મ વાતો કરે છે), આ બધું શું ચાલે છે ? એને મજા નહિ આવે, એને રસ નહિ પડે. એટલે બે વચ્ચે સંબંધ નિમિત્ત-નૈમિત્તિક ક્યારે થાય છે ? કે યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતા હોય ત્યારે. બેમાંથી એક અયોગ્ય હોય એ જામતું નથી. અને બે અયોગ્ય હોય ત્યાં જામે, બે યોગ્ય હોય ત્યાં જામે. આ એનો નિયમ છે. નહિતર એકબીજાને મેળ પડતો નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય છે.
- એટલે અહીંયાં તો એમ કહેવું છે કે ભલે શાસ્ત્રની વાતો હોય, આત્માની વાતો હોય તોપણ જે આશય છે એની તુલના કરતા જો ન આવડે તો પોતે ... જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે...” આ જ્ઞાનીની વાણીના લક્ષણ લીધા. હજી બીજા કહેશે. અલ્પવિરામ છે. “અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. ચાર બોલ લીધા. “જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ....” હોય છે. એટલે કે જ્ઞાનીને વસુદર્શન હોવાથી પોતાની વાતને પોતે વિરોધાભાસમાં રાખે એવી બીજી વાત ક્યારેય જ્ઞાનીની વાણીમાં નહિ આવે. જોકે આત્મામાં કેટલાક વિરુદ્ધ ધર્મો પણ છે. આત્મા દ્રવ્યાયાર્થિકનયે નિત્ય પણ છે. પર્યાયાર્થિકન અનિત્ય પણ છે. પણ એ બન્ને વાત કરવા છતાં પણ એમાં અવિરોધપણું જ્ઞાનીની વાણીમાં આવે છે.
- પ્રવચનસાર' ૧૧૪ નંબરની ગાથા. છે ને ? પ્રવચનસાર ૧૧૪ ગાથા. દ્રવ્યાર્થિકનયના ચક્ષુને સર્વથા બંધ કરીને પર્યાયાર્થિકનયે જોવું, પર્યાયાર્થિકનયના ચક્ષુને સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિકનયે જોવું. એ વાત ચાલી છે ને? હવે શાસ્ત્રની અંદર તો નયને સાપેક્ષ કહ્યો છે. સાપેક્ષાનયા. જો નયની અપેક્ષા ન હોય અને સર્વથા એ વાપરવામાં આવે તો એકાંત કુનય થઈ જશે. તો પરસ્પર વિરોધ આવશે. હવે અહીં તો ભગવાન કુંદકુંદાચાર્યદેવનું કથન છે. તો જ્ઞાનીની વાણીમાં