________________
૩૦૬
રાજહૃદય ભાગ-૧૩
પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે;...' જે મુમુક્ષુનો હજી વિકાસ નથી થયો, બહુ સામાન્ય કોટીના જે મુમુક્ષુ છે એને પણ એમ લાગે છે કે ખરેખર મહાપુરુષ જેવી જ વાત કરે છે, એમાં કાંઈ ફેર નથી. માટે આ જ્ઞાનીની વાણી છે. એનામાં પણ જ્ઞાન છે એમ આપણે સ્વીકારવું જોઈએ, એ જ્ઞાનને આપણે માનવું જોઈએ. એમ કરીને એ ભ્રાંતિ પામે છે અને એને જ્ઞાની તરીકે અનુસરણ કરવા લાગે છે.
મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદાવાન મુમુક્ષુ... મંદ દશાવાન મુમુક્ષુજીવો ભ્રાંતિ પામે પણ ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી...' શબ્દો એવા જ હોય. શબ્દો પણ એવા હોય, હાવભાવ પણ એવા હોય. તોપણ એમાં એને ભ્રાંતિ થતી નથી. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને ભ્રાંતિ નથી થતી. હજી આગળ કહેશે કે, મધ્યમ દાવાન હોય છે એ પણ આની અંદર ભૂલ કરે છે પણ ઉત્કૃષ્ટ દશાવાન ભૂલ કરતા નથી. સામાન્ય માણસો તો ભૂલ કરે. જેનો આ વિચારેલો વિષય નથી એ તો ભૂલ કરે. પણ જે મુમુક્ષુઓ આ વિષયને થોડા અથવા ઘણા અંશે વિચારતા થયા એમાં પણ જેની મંદ દશા છે અને જેની મધ્યમ કોટીની દશા છે એવા મુમુક્ષુઓ આવી વાણી સાંભળીને ભ્રાંતિ પામે છે.
પણ ઉત્કૃષ્ટદાવાન મુમુક્ષુ પુરુષ..' શાનીની વાણી એની યોગ્યતા એ પ્રકારે માપવાની નથી એટલે ભ્રાંતિ પામે છે. પણ ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ પુરુષ છે, પુરુષ એટલે આત્મા, ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ હોય તે શુષ્કજ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણી એકસરખી જોઈને શબ્દે એના જેવી જોઈને પણ ભ્રાંતિ પામવા યોગ્ય નથી. એ ભ્રાંતિ ન પામે. ઉત્કૃષ્ટ દશાવાન ન પામે તો પછી જ્ઞાનીને તો પામવાનો પ્રશ્ન રહેતો જ નથી. કેમકે એ તો એથી આગળની દશામાં આવી ગયા. મુમુક્ષુ :- મધ્યમ દશાવાન અને મંદ દશાવાનને ... તો નુકસાન થઈ જાય
ને?
પૂજ્ય ભાઈશ્રી :– હા, નુકસાન થઈ જાય. નુકસાન થઈ જાય. બને. ખોટા રૂપિયાને સાચો રૂપિયો માની અને લે તો પછી કિંમત તો આવશે નહિ. એની કાંઈ કિંમત આવશે નહિ. એ પરિસ્થિતિ છે. એટલે એ પ્રકાર બનવા યોગ્ય છે.
કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે શાનીની વાણીની તુલના હોતી નથી.’ શું ફેર પાડ્યો ? હવે એમણે અહીંથી શરૂઆત કરી. આ મુદ્દો એમણે નીચેના