________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૩ લક્ષ થાય એના માટે વાંચવું અને આત્મસ્વરૂપનું લક્ષ થયું હોય તો એ લક્ષને મુખ્ય રાખીને વાંચવું અથવા શાસ્ત્રના શબ્દો વાચક છે અને એનું વાચ્ય છે એના ઉપર જ્ઞાનને લઈ જવું. એનું નામ શાસ્ત્ર વાંચવું છે. શાસ્ત્રના શબ્દો છે એ તો વાચક છે, એનું વાચ્ય પોતાનો આત્મા અને એનું વાચ્ય પોતાના આત્માનું આત્મસમાધિરૂપ કાર્ય. એ એનું વાચ્ય છે. આત્મા કેવો છે અને એની પ્રાપ્તિ કેમ થાય છે ? આ બે વાત છે એ એનું વાચ્ય છે. એ વાચ્ય ઉપર જ્ઞાનને લઈ જવું એનું નામ શાસ્ત્ર વાંચન છે. જો એમ ન થાય તો એ શાસ્ત્ર વાંચન નથી પણ બધી પછી પોથી ઉથલાવવાની વાત છે. શાસ્ત્રમાં પછી એવી જ વાત આવે કે એવી રીતે કોઈ શાસ્ત્ર વાંચીને પરમાર્થ ન સાધે, આ પ્રકારે પરમાર્થને ન સાધ, આત્મહિતને ન સાધે તો જેમ ગધેડા ઉપર કોઈએ શાસ્ત્રના ઢગલાને બોજો ઉપડાવે કે ભાઈ ! આ ૫૦-૧૦૦. શાસ્ત્રો છે અને આ જગ્યાએ લઈ જાવ. નાખો ગધેડા ઉપર મૂકીને, ઘોડા ઉપર મૂકીને. દાખલો તો ગધેડાનો જ દીધો છે. એમ આણે શાસ્ત્ર માથે ઉપાડ્યા છે. બીજું કાંઈ નથી. શાસ્ત્રનો બોજો ઉપાડ્યો છે, ભાર ઉપાડ્યો છે. જેમ ગધેડા ઉપર ભાર વેંઢારે એમ આણે મગજમાં ભાર વેંઢાર્યો છે. બીજું કાંઈ નથી. શાસ્ત્રની અનેક વાતો કરે છે પણ એણે કાંઈ પરમાર્થ સાધ્યો નથી.
મુમુક્ષુ - બીજાને સમજાવી તો શકે ને ?
પૂજ્ય ભાઈશ્રી :- બીજાને સમજાવી શકાય. પણ બીજો એનાથી સમજશે નહિ. એ માનશે એમ કે હું બીજાને સમજાવી તો શકું ને. પણ બીજો એનાથી સમજવાનો નથી. કેમકે એ પોતે) સમજ્યો નથી. કૂવામાં નથી અવેડામાં ક્યાંથી આવવાનું હતું?
મુમુક્ષુ :- ૧૩૯ પત્રમાં ખુલાસો કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમના જ પત્રમાં આવે છે. ખરી વાત છે. પાના નં)૨૨૭. નીચે છે ને ?
“અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે.' ઉપરથી ? નીચેથી. ચૌદ પૂર્વનું જ્ઞાન નિષ્ફળ થયું. મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલે ચૌદ પૂર્વનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો લખેલાંનાં પાનાં ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી... ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી. લ્યો ! માથે ઉપાડવા કે