________________
૫૭.
પત્રાંક-૬૫૧ અને કાળ ફરી ગયો તોપણ મોક્ષમાં ગયા. પાંચમો આરો બેસી ગયો. ભગવાનના નિર્વાણ પછી તો ચોથા આરાના ગણતરીના જ દિવસો બાકી હતા. પછી પાંચમો આરો બેસી ગયો. આમનું આયુષ્ય લાંબુ હતું. પંચમઆરામાં ચાલુ રહે એવું આયુષ્ય હતું. ભલે ને પાંચમો આરો બેસે. આરો એમને રોકી શકશે નહિ.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી – પોતાએ સમજવાનું છે. તલવાર લટકતી હોય એ કોની? કે મારે એની. બાકી... એમ ધર્મ તો પાળે એનો છે. વ્યક્તિગત વિષય છે.
જે જે (જીવો) સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ...” એટલે પોતાપણું શમાવી દીધું. જે જે જીવો સમજ્યા તેણે અન્ય પદાર્થમાં પોતાપણું, અમુક પદાર્થો મારા છે, આ ઘર મારું છે, પાડોશીનું ઘર મારું નથી, આ દીકરો મારો છે. બીજો દેખાય છે તે મારો નથી. મારું અને તાર બે વિભાગ કરી નાખ્યા. ખરેખર બે વિભાગ છે નહિ. એ આદિ અહંત, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં,” એ પદાર્થમાં એવો સ્વભાવ નથી. કોઈ જીવ પોતાનો છે, આ આત્માનો છે અને કોઈ જીવ આ આત્માનો નથી એવું ખરેખર છે નહિ. બધા જીવો આ આત્મા માટે તો એકસરખા છે. કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં.'
અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો.” અને પોતાનો જે સ્વભાવ છે એ તો ચિંતવનથી પાર એવો, ચિંતવનમાં પૂરો ન સમાય એવો, અચિંત્ય એટલે ચિંતવનમાં પૂરો ન સમાય એવો અને અવ્યાબાધસ્વરૂપ એટલે જેને કોઈ બાધા પણ ન પહોંચાડી શકે એવો, કેવળ ન્યારો એટલે સર્વથા ભિન્ન જોયો. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” જ્યારે મારું સ્વરૂપ સર્વથા અન્ય પદાર્થોથી જુદું છે તો પછી હું કોનામાં મારાપણું કરું ? અને આ મારું નહિ એમ ગણીને આ મારું અને આ મારું નહિ એમ કેવી રીતે કરું ? જ્યાં મારું જ કોઈ નથી તો આટલું મારું અને આટલું મારું નહિ એ હું કેવી રીતે કરું ? એમ જોઈ અને તેમાં જ સમાવેશ પામી ગયા. અને પોતાના અચિંત્ય સ્વભાવમાં સમાવેશ પામી ગયા. અથવા જે પોતાના સ્વરૂપને સમજ્યા, અચિંત્ય અવ્યાબાધ એવું જે પોતાનું સ્વરૂપ એને જે સમજ્યા તે એ સ્વરૂપમાંથી બહાર નીકળવા જેવું નથી એમ સમજ્યા અને એમાં સમાઈ ગયા, એમાં સ્થિર થઈ ગયા.
આ આત્માને મતલબ તો સુખ-શાંતિથી છે. જીવને પોતાને પ્રયોજન તો