________________
૧૪૮
રાજક્ય ભાગ-૧૩
પત્રાંક-૬૬૧
મુંબઈ, પોષ સુદ ૮, ભોમ, ૧૯૫૨ આજે પત્ર એક મળ્યું છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છેદના નિવહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ' છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી સાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ' ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.
૬૬ ૧ છે એ ફરીને લલ્લુજી ઉપરનો પત્ર છે. શાસ્ત્રીય અભિનિવેશ ઉપર. આજે એક પત્ર મળ્યું છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે. જુઓ ! સ્પષ્ટ પરિભાષા કરી છે. એવો સુદ ૬નો પહેલો પત્ર લખ્યો છે, પછી એક દિવસ છોડીને પોષ સુદ ૮ ફરીને પત્ર લખ્યો છે. ત્રણે પત્રો પોષ સુદ ૬ના લખેલા છે. પછી પોષ સુદ ૮ ફરીને “લલ્લુજીને પત્ર લખ્યો છે. બે દિવસમાં વળી પાછો એક પત્ર મળ્યો છે. ઉપર ત્રણ પત્રોની પહોંચ લખી છે. વચ્ચે એક દિવસ ખાલી ગયો તો પાછો એક પત્ર લલ્લુજીનો મળી ગયો છે. કેટલો પત્રવ્યવહાર ચાલ્યો છે !
આજે એક પત્ર મળ્યું છે. આત્માર્થ સિવાય,...” કહે છે ને ? હું લાણા શાસ્ત્રને માનું છું. “સમયસાર આદિ શાસ્ત્રો અમને માન્ય છે. કોઈને કોઈ પ્રકારે પોતાના સંપ્રદાયમાં જે શાસ્ત્રો હોય છે એની માન્યતા જીવને હોય છે. અહીંયાં એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તું ગમે તે શાસ્ત્રને માનતો હો. આત્માર્થે માને છો કે કેમ ? આટલી જ વાત છે. જો આત્માર્થ સિવાય શાસ્ત્રને માનીને હું શાસ્ત્રને માનું છું એવી કૃતાર્થતા. કૃતાર્થતા એટલે સંતોષ. હું માનું તો છું ને? કાંઈ નાસ્તિક નથી.