________________
પત્રાંક-૬૬૬
૧૯૯
એના પરિણામ એટલા બગડી જશે... એટલા બગડી જશે... એવા ખરાબ થશે... સુધસાન ગુમાવી બેસશે. જીવ એટલો દુ:ખી થશે કે એને છેલ્લે છેલ્લે (સુધ રહેતી) નથી. જ્ઞાનીજીવોને તો એ અનિત્ય દેખે છે, કે આ તો ચાર દિવસનીયે પૂરી ચાંદની નથી. અને એ ગમે તેટલા સારા વૈભવશાળી સંયોગો દેખાતા હોય તોપણ એમાં રાચવા જેવું નથી. એમાં રસ લઈને રાચવા જેવું નથી.
એવું અનિત્યપણું દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે;...’ સરવાળે એમને રસ તો નહોતો. રહ્યા ત્યારે પણ રસ નહોતો. રહ્યા ત્યારે કેવા પરિણામ હતા એ તો હજી હવે બીજી લીટીમાં કહેશે. પણ પહેલા એમણે સ૨વાળે શું કર્યું ? જીવનના ફળ સ્વરૂપે શું કર્યું ? એ પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે;...’ એનો ત્યાગ કર્યો. જેમાં એમની પરિણિત છૂટેલી હતી, પરિણતિએ ત્યાગ વર્તતો હતો પણ હજી ઉપયોગ જાતો હતો, ફરી ફરીને ઉપયોગ જતો હતો એ પણ ન જાય એટલા માટે એને છોડીને ચાલી નીકળ્યા. સરવાળે એ રીતે એમણે પોતાના આત્મહિતાર્થે એ ઉચિત સમજ્યા, એનો ત્યાગ કરવો એ ઉચિત સમજ્યા છે.
જ્યારે એ પ્રારબ્ધોદયે વાસ થયો...' જે સંયોગોમાં પૂર્વકર્મને ભોગવવા માટે વસવું પડ્યું. વસવું હતું નહિ પણ વસવું પડ્યું. તોપણ અમૂર્છિતપણે....' રહ્યા. એમાં મૂર્છા ખાધી નથી. પરિગ્રહને એ રીતે કહ્યો છે. ભગવાન ઊમાસ્વામી’એ મૂર્છા પરિગ્રહ (સૂત્ર કહ્યું છે), જેમાં પરિગ્રહને વિષે મૂર્છા થાય છે, જે ૫૨ સંયોગોને વિષે જીવ મૂર્છા ખાય છે એને પરિગ્રહ કહે છે. મૂળ ખાય છે ત્યારે શું થાય છે ? કે જીવ પોતાનું ભાન ભૂલે છે. એમ પોતાનું નિર્લેપ જ્ઞાનતત્ત્વ, શાયકસ્વરૂપ આત્મા છે, જેને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળ, ભાવથી કોઈ સંયોગો સાથે સંબંધ નથી. એ પોતાના સર્વથા ભિન્નપણાને ભૂલે છે અને અભિન્નપણું સ્વીકારે છે એ એની મૂર્છા ખાઈ ગયો છે. જ્ઞાનીઓ મૂર્છિતપણે એમાં રહેતા નથી.
પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે... એમાં મૂર્છા રાખ્યા વિના અને ઉદાસીનપણે...’ એમાં નિ૨સપણે. ઉદાસીનપણે એટલે નિરસપણે, રસ આવ્યા વગ૨. માત્ર પૂર્વકર્મનો ઉદય સમજીને વર્ત્યા છે કે આ એક પૂર્વકર્મનો ઉદય આવ્યો છે. છોડવા જતાં બાહ્ય કારણો રોકે છે. એ વિષય કાલે આવી ગયો. છોડવા જતાં બાહ્ય કારણો રોકે છે. એવી પરિસ્થિતિ સમજીને એ વર્યાં છે. અને વર્ત્યા છે ત્યારે પણ એમણે ત્યાગનો લક્ષ રાખ્યો છે.’ ગમે ત્યારે વહેલામાં વહેલી તકે આ છોડી દેવું છે. તકની રાહ જોવે છે. લાગ જોવે છે કે ક્યારે હું છોડું ? ક્યારે હું છોડું ? જેને