________________
૨૦૬
રાજહૃદય ભાગ-૧૩ પ્રયત્ન કરવા છતાં ખોટા રસ્તે ચડી જઈને નુકસાન કરી ન બેસે એટલા માટે એમણે આ રસ્તે ચડાવ્યા છે.
જે સર્વ અશરણને નિશળ શરણરૂપ છે,...” આ વાત એ ૬૯૩માં વિશેષપણે કરશે કે જ્ઞાનમાર્ગે કેટલા જોખમ રહેલા છે ? ત્યાગમાર્ગે કેટલા જોખમ રહેલા છે ? અને એટલા જ માટે ભક્તિમાર્ગથી શરૂઆત કરાવવામાં આવી છે. એમ કહીને એ વાતનું એમણે ત્યાં પણ પ્રતિપાદન કર્યું છે. ભક્તિનું સ્વરૂપ ન સમજે તો એ પણ ઓઘભક્તિએ જેમ એમના અનુયાયીઓની અંદર એ પરિસ્થિતિ છે અને બીજા સંપ્રદાયોમાં કે આપણે ત્યાં પણ જે ભક્તિની પરિસ્થિતિ છે. એ રીતે ભક્તિનું સ્વરૂપ સમજવા યોગ્ય નથી. એ ૬૬૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૬૮
મુંબઈ, માહ સુદ ૪, રવિ, ૧૯૫૨ પત્ર મળ્યું છે.
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.
હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી.
૬૬ ૮મો પત્ર પણ “અંબાલાલભાઈ ઉપરનો છે. પત્ર મળ્યું છે. અઠવાડિયા પછીનો પત્ર છે. દરમ્યાનમાં એમનો એક પત્ર સામેથી મળી ગયો છે. “અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી.” શું કહે છે? જો સર્વ દુઃખને નાશ કરવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે અને એક આત્મજ્ઞાન સિવાય યથાર્થ પ્રકારે કોઈ દુઃખનો નાશ કરી શકાતો નથી અથવા સર્વ દુઃખોનો નાશ કરી શકાતો નથી. તો એ આત્મજ્ઞાનને સુલભપણે પ્રાપ્ત થવા અર્થે અથવા અસંગ એવું આત્મસ્વરૂપનું જ્ઞાન થવા અર્થે. આત્મસ્વરૂપ કેવું છે ? અસંગ તત્ત્વ છે. જેને કોઈની સાથે કોઈ સંગ નથી. કોઈ આત્મા સ્વરૂપે કરીને