________________
પત્રાંક-૬૭૭.
૨૮૧ કેવી કેવી રીતે આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ... તેમ કરવું જોઈએ... ફલાણું કરવું જોઈએ. તો લોકોમાં આમ થાય, આમ થાય. એટલી બધી લોકો તરફની સાવધાની થઈ જાય. એને પોતાના પરિણામના સુધાર-બગાડનો જરાય વિચાર આવે નહિ, જરાય તપાસણી થાય નહિ, જરાપણ અવલોકન ન આવે એવા દૂરવર્તી પરિણામ આત્મહિતના વિષયમાં થઈ જાય છે. તે વિચારવા યોગ્ય છે.” અને તે વિષય લોકસંજ્ઞાનો ફરી ફરીને જીવે વિચારવા યોગ્ય છે.
“વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે....... અને જ્યારે લોકોની વચ્ચે રહીને લોકવ્યવહારમાં જ્યારે જીવ ઊભો છે ત્યારે એને પોતાના અંતરપરિણતિ ઉપર કેટલું બળ રાખવું જોઈએ ? આત્મહિતનું કેટલું લક્ષ રાખવું જોઈએ ? કેટલી જાગૃતિનું બળ હોવું જોઈએ ? એ વાત વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.' ફરી ફરીને એ વાત વિચારવા યોગ્ય છે. અથવા પ્રસંગે-પ્રસંગે અને કાર્ય-કાર્યો એ વાતને વિચારવા જેવી છે કે મારા પરિણામમાં હું મને નુકસાન કરું એવું તો કાંઈ નથી થતું ને ? એ પ્રકારમાં તો હું નથી આવતો ને ? લોકવ્યવહારની વચ્ચે રહીને પોતાનું હિત તો હું ચૂકતો નથી ને ? ચૂકી જતો નથી ને? ભૂલી જતો નથી ને ? એ ફરી ફરીને વિચારવા યોગ્ય છે.
“વધારે શું લખીએ?’ હવે માર્ગદર્શન આપે છે. જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને સમજાવીને,...” જુઓ ! કેવી શૈલી લીધી છે ! જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છેઅહીંયાં વિચારવાન જીવ એટલે મુમુક્ષજીવ અને મુમુક્ષજીવ એટલે વિચારવાન જીવ.
મુમુક્ષુ – અભિપ્રાયની.... એને ખરાબલાગી જાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. વાત સાચી છે. ગાળ દીધી હોય એવું લાગે. જો પોતાના હિતનો જીવ વિચાર ન કરતો હોય તો એ અવિચારીપણું નથી તો બીજું શું છે ? અને એમાં પણ આવો ઉત્કૃષ્ટ માર્ગ ચોખ્ખો સામે આવ્યો પાછો. એમ નથી કે બીજા જીવોને તો કાને વાત પડી નથી. એને કાંઈ ખબર નથી, સાંભળવા મળ્યું નથી, સમજવા મળ્યું નથી. કોઈ એવી પરિસ્થિતિમાં નથી કે એને જલ્દી આ વાત