________________
૨૮૮
રાજહૃદય ભાગ-૧૩ અપૂર્વગુણ કેમ ઉત્પન્ન થાય?’ ત્યાં સુધી કોઈ રીતે જીવને સમ્યગ્દર્શનાદિ અપૂર્વ ગુણ ઉત્પન્ન થઈ શકે એવું નથી.
મુમુક્ષુ :-રત્નકરંડ શ્રાવકાચાર..
પૂજ્ય ભાઈશ્રી :- રત્નકરંડ મુમુક્ષુઆચાર છે. શ્રાવક તો હજી ક્યાં થયા છે. સમંતભદ્રસ્વામીએ તો પંચમ ગુણસ્થાનવાળાનું શ્રાવકાચાર લખ્યું. એનો રત્ન કરંડિયો છે. આ રત્નનો કરંડિયો મુમુક્ષુ માટેનો છે. રત્નકરંડ છે. ઘણી વાતો લખી.
મુમુક્ષ:- આવા બધા પરિણામ હોય ત્યાં મુમુક્ષપણું પણ આવવું મુશ્કેલ છે. પૂજ્ય ભાઈશ્રી – ન આવે. મુમુક્ષુપણું રહે નહિ. એ વાત સાચી છે.
ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ત્યાં તો એવો કોઈ અપૂર્વ ગુણ ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી, એમ કહે છે. તેનો વિચાર સુગમ છે. એ સહેલાથી સમજી શકાય એવી વાત છે. કુંવરજીભાઈને લખે છે કે, જુઓ ! ભાઈ ! તમે વિચારી જુઓ કે આવું કાંઈ નથી ને? લૌકિક અભિનિવેશમાં વર્તતા નથી ને ? બહુ સરળ પરિણામી જીવ હતા, હોં ! એને આટલું લખ્યું છે. એનો એક પત્ર વાંચ્યો હતો એને પોતાના દોષોનું એટલું બધું નિવેદન કર્યું છે, આપણને નવાઈ લાગે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :- ના. આ છે “કુંવરજી આણંદજી, ભાવનગરના એક ગૃહસ્થ છે), એના ઉપરનો પત્ર છે. એને એમ લખ્યું છે કે હજી પણ કાંઈક મને એવું લાગે છે કે કાંઈક હજી કાં તો સમજમણનું, કાં તો કાંઈક લૌકિકદષ્ટિએ કુળ, માન, ગચ્છ કાંઈક ઊંડે ઊંડે હોવું જોઈએ. નહિતર જે ધ્યાન ખેંચાવું જોઈએ એ ધ્યાન હજી ખેંચાણું નથી એમનું. નહિતર થોડા વીર્યવાળા માણસ હોય તો એ તો પાછળ પડી જાય. એમ ખબર પડે કે આ કોઈ જ્ઞાનીપુરુષ છે એટલે જીવંત મોક્ષમાર્ગ છે અને જીવંત મોક્ષમાર્ગ હોવાથી હવે વળગી જેવા જેવું છે. કેમકે આપણે મોક્ષમાર્ગ જોઈએ છે. એ તો પછી કોઈની દરકાર કરે નહિ. પાછળ જ પડી જાય. કોઈ રીતે હવે લીધે છૂટકો છે, હવે છોડવાનું નથી.
મુમુક્ષુ :- કુંવરજીભાઈ સાધુઓને ભણાવતા. પૂજ્ય ભાઈશ્રી:- કુંવરજીભાઈ સાધુઓને ભણાવતા ? મુમુક્ષુ - વ્યાખ્યાન સાંભળવા બેસે તો કુંવરજીભાઈ સાધુઓની ભૂલ
કાઢે.
પૂજ્ય ભાઈશ્રી :- બરાબર. તમે જોયા હશે. એમણે તો જોયા હોય છે. એ