________________
પત્રાંક-૬૭૬
૨૬૯
ઉત્કૃષ્ટરસ ગણવામાં આવ્યો છે. એ જ વીતરાગરસનું એક રૂપ આ શૂરાતન, વી૨૨સ છે.
પત્રાંક-૬૭૬
મુંબઈ, ફાગણ વદ ૯, રવિ, ૧૯૫૨
આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું.
શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથાયોગ્ય.
૬૭૬મો પત્ર સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે. આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું.’ એટલે એમનો કોઈ પત્ર છે કે જે મુમુક્ષુજીવોને વિશેષ ઉપકારી થાય એવો પત્ર છે. એ વિષયમાં હવે પછી થોડા દિવસમાં પોતે કોઈ પ્રશ્નો પણ એની અંદર છે એનો ઉત્તર લખવાનું બન્યું છે. એમાં પણ આ લઈ લઈએ. ૬૭૬ નોંધ ક૨વા જેવો છે.
આ ફાગણ વદ ૯માં જેનો ઉલ્લેખ છે એ પત્રની અંદર મુમુક્ષુને ઉપકારી થાય એવા કોઈ પ્રશ્નો અને અનુપ્રેક્ષા કરવા યોગ્ય, આશંકાથી વાત ઉપાડીને કોઈ એ દૃષ્ટિકોણથી એમણે પ્રશ્નો પૂછ્યા છે. એનો ઉત્તર એ થોડા દિવસમાં લખશે. પછી લખ્યો છે કે નથી લખ્યો એ તો આગળના પત્રોમાં ખ્યાલ આવશે. પણ ઘણું કરીને કોઈ કોઈ પ્રશ્નમાં ચર્ચા શરૂ થઈ છે. (પત્રાંક) ૬૭૯થી ચર્ચા શરૂ થઈ છે. ફાગણ વદ ૬માં લખેલા કાગળોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. એ એ લાગે છે. ફાગણ વદ ૯માં ઉત્ત૨ લખે છે ને ? તો ફાગણ વદ ૬ના પત્રનો ઉલ્લેખ એની અંદર છે. એ પાછો બહુ વિસ્તારવાળો પત્ર છે. એમાં Paragraph પાડીને એમણે છ Paragraphમાં ઉત્તર લખ્યો છે. ત્રણ Page માં આખો પત્ર છે. છ Paragraph ઉ૫૨ અને સાતમા પછી નીચે વધારાની વાત