________________
પત્રક-૬૭૪
૨૬૭
જીવ એ રહસ્ય પામે છે ત્યારે એ આત્માર્થને પામે છે અને ત્યારે એ સિદ્ધિના માર્ગે સિધાવે છે.
મુમુક્ષુ :- સ્પર્યાં એવી ધુલીને પણ ધન્ય છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ‘ગુરુદેવ’ની સ્તુતિ કરી છે એમાં એ વાત લીધી છે કે, ‘તુજ પાદપંકજથી સ્પર્શાય એવી ધુલીને પણ ધન્ય છે !” પૂજ્ય બહેનશ્રી' કહેતા કે, અહીંયાં તો સોનગઢ'માં રજકણે રજકણમાં ‘ગુરુદેવ’ના દર્શન થાય છે. ‘ગુરુદેવ’ સ્વર્ગમાં પધાર્યાં પછી એ વાત કરતા હતા કે અહીંયાં તો રજકણે રજકણમાં એમની સ્મૃતિ ભરી છે. અહીંનું એક એક રજકણ ‘ગુરુદેવ’નું સ્મરણ કરાવે છે. એટલે એ તો જ્યાં એ વિચર્યાં છે, રહ્યા છે, સાધના સાધી છે એ તીર્થનું પણ એટલું બહુમાન કરવામાં આવે છે અને તે યોગ્ય જ છે.
મુમુક્ષુ :– ગુરુદેવ’ જ્યારે ગોચરી કરતા ત્યારે...
પૂજ્ય ભાઈશ્રી :– હા. બહુમાન કરતા હતા અને એ વખતે પથ૨ણા કે એવું પાથરે. એટલે ધૂડવાળા પગ એના ઉપર આવે અને એ ધૂડ ખરે એ લઈ શકે. બરાબર છે. એ તો બહુમાનનો વિષય, ભક્તિનો વિષય છે.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર છે.
મુમુક્ષુ :– આ પત્રના Heading માં જ દેહધારી છતાં નિરાવરણજ્ઞાન સહિત વર્તે છે...
પૂજ્ય ભાઈશ્રી :- હા. Heading જ એ બાંધ્યું છે. દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.' ત્યાંથી માંડીને પછી નીચે એ વાત લીધી છે. એ ૬૭૪ (પત્ર પૂરો) થયો.
મુમુક્ષુ :– ચરણરજ લીધું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, ચરણ૨જ. ખરેખર એમ જ છે કે એ ચરણ૨જનું પણ બહુમાન છે અને મુમુક્ષુજીવ તો એ પોતાનું સ્થાન સમજે છે કે અમે તો જ્ઞાનીપુરુષના, મહાપુરુષના એમના ચ૨ણની જે ૨જ ચોંટેલી હોય એ અમારું સ્થાન છે. એટલા વિનમ્ર ભાવે એ જ્ઞાનીપુરુષનું બહુમાન કરે છે. એને એ દર્શનમોહનો અનુભાગ કપાવામાં કા૨ણભૂત છે. એવું જે બહુમાન અને એવી જે ભક્તિ તે મોહરહિત એવા ધર્માત્માની હોવાથી, દર્શનમોહનો અનુભાગ તૂટવામાં, કપાવામાં એ કારણભૂત પરિણામ છે. એવું પણ એની અંદર (૨હસ્ય છે તેથી) એને