________________
૨૬૮
રાજહૃદય ભાગ-૧૩ રહસ્યભક્તિ કીધી છે. એને શું કીધું છે? રહસ્યભક્તિ કીધી છે. ઓઘભક્તિ અને રહસ્યભક્તિ બે જુદી જુદી વસ્તુ છે. નિષ્કામ ભક્તિ, રહસ્યભક્તિ. એનું નામ રહસ્યભક્તિ એવું નામ આપ્યું છે. એક જગ્યાએ એમણે એ શબ્દ વાપર્યો છે.
પત્રક-૬૭૫
મુંબઈ, ફાગણ વદ ૫, બુધ, ૧૯૫૨ બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્યફસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથા રૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે.
સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ”
૬૭૫. “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. “બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્મસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથારૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. મુંબઈથી પત્ર લખે છે. એમણે તાત્ત્વિક પ્રશ્ન પૂછ્યો છે. તો હમણાં થોડો વખત એનો ઉત્તર નહિ લખી શકાય એમ લખ્યું છે. એમને પણ “સુંદરદાસનું પદ લખ્યું છે, જુઓ ! એને પણ “સુંદરદાસનું પદ લખ્યું છે. ફક્ત “સોભાગભાઈ , ‘ડુંગરભાઈને લખ્યું છે એમ નથી પણ “અંબાલાલભાઈને પણ “સુંદરદાસનું પદ લખ્યું છે કે..
સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર,
વૈરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ સૂતો હૈ. અંદરના વેરીઓને કામ, ક્રોધ, આશા, પીપાસાને મારીને મોહ-મત્સરને મારીને નિરાંતે સૂઈ ગયો છે. હવે એને કોઈ હેરાન કરી શકે એવું નથી. પુરુષાર્થનો જે શૌર્યરસ છે, વીર્યરસ છે એ સંબંધીનો વિશેષ ભાવ એમણે લીધો છે. આમ તો વીતરાગભાવ છે એ શાંતરસરૂપ છે. ભાષાની અંદર જે નવ રસ છે એની અંદર શાંતરસ છે એની અંદર સર્વે રસ ગર્ભિત છે અને એ શાંતરસની અંદર બધા રસો સમાય જાય છે. અને એ બધા રસોનો રાજા છે. એટલે શાંતરસને વીતરાગરસ,