________________
૨૭૪
રાજહૃદય ભાગ-૧૩
પણ આપણા ઘરે આવેલા કાગળો આપણે કેટલા સાચવીએ છીએ. એ તો સમજવા જેવી વાત છે.
આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ...' આત્માનું હિત થાય, ઉપકાર થાય અને વાસ્તવિકપણે ઉપકાર થાય, ખરેખર ઉપકાર થાય એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે,...' બીજા જીવોનું હિત થતું હોય તો એમાં હાથ ન બીડે. એમાં ઉદારતા રાખે એમ કહે છે. તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છે ઃ...’ એક બહુ સારું શાનદશા વિષેનું એક પડખું, બહુ સારુ પડખું આ જગ્યાએ એમણે ખોલ્યું છે કે, સામાન્યપણે તો જો કોઈ પાત્ર જીવ હોય, જિજ્ઞાસુ જીવ હોય, પોતાના આત્મહિતની ભાવનામાં સારી રીતે આવેલો હોય તો શાની તો પોતાનું કાળજું કાઢીને એને આપી દે. તું પણ મારા જેવો જ્ઞાની થઈ જા. લે આ માર્ગ છે, આ પરિસ્થિતિ છે અને આ માર્ગનું રહસ્ય છે. તારી પાત્રતા થઈ છે, ગ્રહણ કરી લે. પણ જ્યારે એવી સ્થિતિ ન હોય ત્યારે જ્ઞાની પણ કયાંક સંક્ષેપ કરે છે અને એ સંક્ષેપ નીચેના કા૨ણોથી કરે છે. એમાં પહેલું કારણ.
‘(૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે... અથવા એવી યોગ્યતાને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય....' એની વર્તમાન પરિસ્થિતિ એવી હોય કે આને એના હિતનો ઉપદેશ કહેશું તોપણ અત્યારે પરિણામી નહિ થાય, અત્યારે એના આત્મામાં એ ઉપદેશ અંગીકાર, એ આ ઉપદેશને અંગીકાર કરશે, ઉપાડી લેશે એવું દેખાતું નથી. એવું જ્યારે જ્ઞાનીને ચોખ્ખું દેખાય કે જિજ્ઞાસા રાખે છે પણ આ ગ્રહણ કરવાને હજી એની તૈયારી દેખાતી નથી. તો એની વાણી સંકોચાય જાય છે, એને સંક્ષેપ થાય છે કે, આ કાંઈ અત્યારે ગ્રહણ કરી શકે એવી પરિસ્થિતિમાં દેખાતો નથી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો વિશેષ પાત્ર હતા ને ! ઉત્કૃષ્ટ પાત્ર હતા.
-
--
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો આ પત્રોમાં આટલું બધું નીકળ્યું એનું કારણ ‘સોભાગભાઈ’ છે.
...
સામાન્ય રીતે જ્ઞાનીપુરુષની વાણી નિષ્ફળ જતી નથી. આવો ઘણો હીણો કાળ છે. હુંડાવસર્પિણી ઘણો વિચિત્ર અને ઘણો વિપરિત કાળ છે. તોપણ જ્ઞાનીની