________________
૨૬૧
પત્રાંક-૬૭૪ આવો જોય. તો તમને ખ્યાલ આવશે કે છ મહિનામાં તમને એક વખત સંબોધન પણ કર્યું છે ? તો શું કારણ છે?
એમ એમના જ્ઞાનમાં જે વસ્તુ આવે છે એ કેટલું જ્ઞાન ઊંડું પરિણમીને આવે છે અને એ વિષયનું જ્ઞાન કેટલું બધું કાર્યક્ષમ છે, નિર્મળ છે અને એ વિષય એમને જણાય છે ! એટલે જો વિશ્વાસ આવી જાય તો એમની વાત આવતા જ એમ લાગે કે નક્કી કાંઈક હોવું જોઈએ.
જેમ આપણા કોઈ હિતેચ્છુ છે એ ખબર પડી ગઈ કે, ભાઈ ! આ હૃદયથી આપણું હિત ઇચ્છે છે. એ માણસ કોઈ વિષયમાં જરાક શંકા કરે તો માણસ પકડી લે છે કે નહિ ? એને એમ ન કહે કે તમે અધૂરી વાત કરી હતી. તમને જરાક ઇશારો કરી દીધો હતો કે આ બાજુ ચાલવા જેવું નથી. સંભાળવા જેવું છે. તો થોડીક વાત ઉપરથી માણસ ચેતી જાય છે કે નહિ ? તો ભલે એક જરાક વાત આવી હોય. એ તો યોગ્યતાનો જ વિષય છે.
એક દષ્ટાંત લેવા જેવું છે. છ આવશ્યક નથી અને એક આવશ્યક છે. એટલા જ શબ્દો ઉપરથી અજાણ્યા સ્થળે ૬૦૦-૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને અજાણ્યા સ્થળે, અજાણ્યા ગામમાં, અજાણ્યા સમાજમાં કોઈને ઓળખતા નથી. એ દોડીને કેમ આવ્યા હશે ? એને ત્યાંથી સંકેત મળ્યો કે નક્કી આ કોઈ, વિકલ્પની જે જાળ ચાલે છે અને સહન થતી નથી, જે વિકલ્પથી હવે છૂટવું છે એ વિકલ્પને છોડાવાની કોઈ પદ્ધતિ અહીંયાં દેખાય છે. કદાચ માર્ગ મળે તો અહીંથી મળે એવું લાગે છે. તો સહેજ એક છેડો હાથમાં આવી ગયો ત્યાંથી આખી રસ્સી પકડી અને ઉપર ચડી ગયા. એટલી જ્ઞાનની અંદર યોગ્યતા ક્યાંથી આવી ? થોડી વાત ઉપરથી ઘણું પકડવાની યોગ્યતા ક્યાંથી આવી ? અને એ જમાનામાં કોઈ એટલો પરિશ્રમ કરે ! પાછું એવું નહોતું કે મોટરવાળા હતા એટલે ફટ લઈને ગાડીમાં બેસી ગયા. આર્થિક રીતે તો ઘણી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગયેલા હતા કે તરત જ ત્યાર પછી તો વર્ષ, બે વર્ષમાં દુકાન બંધ કરી દેવી પડી છે, ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે, ગામ છોડવાનો વારો આવ્યો છે, લ્યોને. ઘર છોડવાનો વારો આવ્યો છે, કુટુંબ છોડીને કમાવા જવા માટેનો વારો આવ્યો છે. એવી પરીસ્થિતિમાં એ આવ્યા છે. પણ એ દઢ મુમુક્ષતા પ્રગટવી જોઈએ. જ્યારે દઢ મુમુક્ષુતા પ્રગટે છે. » માર્ગને... આત્માને બંધનથી મૂકાવાના માર્ગને કોઈ કહેનાર મળે ત્યારે એને અંદરમાં Light થઈ જાય છે કે નક્કી અહીંયાં કાંઈક વાત છે. વાત છે તો કાંઈક