________________
રાજહૃદય ભાગ-૧૩
૨૪૦
વિચારી શકાય છે, જેનું ૨૧મું પ્રક૨ણ શૂરાતનઅંગ છે.
મુમુક્ષુ :- આત્મજાગૃતદશ....
પૂજ્ય ભાઈશ્રી :– હા. આત્મજાગૃતદશામાં કહ્યું છે. લખ્યું છે. એમને જે લાગ્યું એ લખ્યું છે. કેમકે ભાવ તો બહુ સારા છે.
મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે,...' કોઈ હિન્દી કવિ છે. ભારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે,...' પીસી ડારે એટલે પીસી નાખે, દળી નાખે, ભૂક્કો કરી નાખે. ઇન્દ્રિહુ કતલ કરિ કિયો રજપૂતો હૈ;.’ એવા રજપૂત છે કે ઇન્દ્રિયોની તો કતલ કરી નાખી છે. માર્યો મહા મત્ત મન,... જે મત છે ઘણો. જે Control માં ન રહે, કાબુમાં ન રહે એને મત કહેવામાં આવે છે. આ પાગલ અથવા આ હાથી ગાંડા થાય છે ને ? માર્યો મહા મત્ત મન....’
ભારે અહંકાર મી,...' મીર-શક્તિશાળી. મારે અહંકાર મી, મારે મદ મછર હૂં...' મછર એટલે ઇર્ષ્યા. મદ અને ઇર્ષ્યા. મારે મદ મછ૨ હૂં. ઐસી રન રૂતો હૈ;... રણની અંદર એવો લડે છે... એવો લડે છે કે આ બધાયના ભૂક્કા બોલાવે છે. જેટલા જેટલા જીવના દુશ્મન છે એ બધાને આ રજપૂત છે એ રણની અંદર બરાબર હરાવે છે. મારી આશા તૃષ્ણા પુનિ,...’ આશા અને તૃષ્ણાને પણ ફરીને એણે મારી છે. પાપિની સાપિની દોઉ,...' જે પાપણી છે એવી આશા-તૃષ્ણા છે. અનેક પાપ કરાવે છે. એને પણ મારી સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો હૈ;...' એ બધાય કષાયોને મારીને જે નિજપદમાં પહોંચ્યો છે.
સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર....’ ‘સુંદરદાસ' કહે છે કે એવો કોઈ શૂરવીર સાધુ છે. વૈરી સબ મારિકે, નિશ્ર્ચિત હોઈ સૂતો હૈ.’ બધા વેરીને મારીને હવે તો એય..! નિશ્ચિંત થઈને સૂતો છે. હવે કોઈને મારવાના બાકી રહ્યા નથી. આરામથી સૂઈ ગયો છે. એવું એક પદ એમણે વાંચ્યું છે, જે અહીંયાં આ બંને ભાઈઓને વિશેષ પ્રે૨ણા માટે (ટાંક્યું છે). જુઓ ! કેવી ઉલ્લાસ પરિણતિથી એમણે લખ્યું છે ! કેવું એમનું શૂરાતન છે ! ‘સુંદરદાસજી’નું ભાવશત્રુને મારવા માટેનું કેવું શૂરાતન છે ! જુઓ ! એમ કરીને એ પદને દોહરાવ્યું છે.
મુમુક્ષુ ઃ:- સત્શાસ્ત્રની Lineમાં મુકયા છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. સત્શાસ્ત્રની Line માં મૂક્યા છે.
‘ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત