________________
૨૫૪
રાજહૃદય ભાગ-૧૩ તોપણ પાણી પીવા માટે મોટું આમ માંડશે. એને પ્યાલો આપશો તો પ્યાલથી પાણી નહિ પીવે. આપણે Try કરી હતી ને ? કે તિર્યંચ કેમ છે એ ? એનામાં માણસ જેવી ઘણી બુદ્ધિ હોય. “ઈડરમાં ત્યાં બહાર રોજ સાંજે વાંદરા આવતા હતા. ચણા ને એવું નાખો તો ખાય. એના માટે એમ થયું કે આ ઓલા ક્યારામાંથી મોટું માંડીને પાણી પીવે છે. ચાર પગે થઈ મોટું નીચે વાળીને નીચે પાણી પીવે. જેમ ગાય-ભેંસ પાણી પીવે એમ વાંદરા પાણી પીવે. તો Try કરી કે આને પાણીનો પ્યાલો આપોને. આપણી જેમ પીવે છે કે નહિ ? એવી રીતે ન પીવે. તિર્યંચ છે ને ? તો એ માણસ નથી. માણસ જેવી એની આકૃતિ અને ચેષ્ટા. એના હાથના આંગળા માણસ જેવા પંજા હોય. તોપણ એ તિર્યંચ છે એની બુદ્ધિ તિર્યંચ જેવી છે, એ એમ જ વળીને પાણી પીવે. ચાર પગે થઈને. કેમકે તિર્યંચ છે. એ માણસ નથી ને તિર્યંચ છે એ કેમ ખબર પડી ? દૈહિક ચેષ્ટથી. એના દેહની જે પ્રવૃત્તિ છે એના ઉપરથી આ માણસ છે, આ તિર્યંચ છે એમ જાણી શકાય છે.
એકબીજાની મુદ્રા એના મોઢા ઉપરથી પણ ખબર પડે છે કે આ માણસ છે. પછી ભલે કોઈ માણસની મુદ્રા વાંદરા જેવી હોય ને કોઈ વાંદરાની મુદ્રા માણસ જેવી હોય તોપણ ખબર પડી જાય કે આ માણસ છે, આ વાંદરો નથી, આ વાંદરો છે ને માણસ નથી. એવી રીતે.
“એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઈન્દ્રિયોમાં જે ભેદ છે...” પછી એની ઇન્દ્રિયોમાં હાથમાં, પગમાં અવયવોમાં જે ભેદ છે, તે ચક્ષ આદિ ઇન્દ્રિયોથી
mતવાસી જાણી શકે છે” દેખાવથી જ ખબર પડી જાય છે. ચક્ષુ ઇન્દ્રિયના જ્ઞાનથી ખબર પડી જાય છે કે આ માણસ છે ને આ પશુ છે. “અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે. અને પછી એની વાતચીત ઉપરથી પણ ખબર પડે છે કે આ માણસને આપણે ઓળખવો હોય તો આમ ઓળખવો. આનો અભિપ્રાય આવો છે, આનો અભિપ્રાય આવો છે. આ આ રીતે વિચારે છે, આ આ રીતે વિચારે છે. એમ વાતચીત ઉપરથી પણ એને ઓળખી શકાય છે.
તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે. એને પોતાને એ જાતની વિચારશક્તિ હોવી જોઈએ. એ વિચારશક્તિ ન હોય તો એકબીજાને ન પણ ઓળખી શકે. કેમકે તે તેના અનુભવનો વિષય છે.” એમ કરીને શું સિદ્ધાંત સ્થાપ્યો? કે જે વિષયમાં જેનો અનુભવ હોય તે વિષયમાં તે