________________
૨૦૨
રાજદય ભાગ-૧૩ એવા જ બધા અંદર સાધનો હોય કે ક્યાંય એને લોકસંપર્કમાં આવવાનું ન થાય. એટલે એમના લગ્ન થયા ત્યાં સુધી એને ક્યાંય પણ એવા પ્રસંગની અંદર આવવા નથી દીધા. ત્યારપછી એણે ત્યાગ કર્યો.
મહાત્મા બુદ્ધ ગૌતમ) જરા....” ઘડપણ, “દરિય...” એટલે ગરીબી, રોગ” અવસ્થા અને મૃત્યુ..” અવસ્થા. ત્રણ તો શરીરની અવસ્થા છે. ગઢપણની અવસ્થા, રોગની અવસ્થા અને મૃત્યુની અવસ્થા અને દારિત્ર્ય એટલે ગરીબાઈ. ગરીબાઈને લઈને થતું દુઃખ. “એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાય અજિત દેખી....” કે આ ઘડપણનું દુઃખ, દરિદ્રતાનું દુઃખ, રોગનું દુઃખ કે મૃત્યુનું દુઃખ એ ટાળવું હોય, એના ઉપર જીત મેળવવી હોય, ચારેય ઉપર, ચાર પ્રસંગ એમને જોવા મળેલા છે અને ચારેચાર પ્રસંગે એમને અંદરમાં ઘણો વૈરાગ્ય થયો છે અને એક રાતે, અડધી રાતે પોતાના શયનખંડને છોડીને, એની પત્ની રાણી અને દીકરાને છોડીને જંગલમાં ભાગી જાય છે.
મુમુક્ષુ - " પૂજ્ય ભાઈશ્રી :- સ્મશાન વૈરાગ્ય આવ્યો. ઘડીકમાં ઊડી જાય. ઘણાને તો ત્યાં ને ત્યાં ઊડી જાય છે.
સમજણને જરા પણ જીવનમાં, પરિણમનમાં ઉતારવાની કોશીશ નથી. એટલું ઉપરછલ્લું હોય છે, એ અવલોકન એટલું જાણવું, વિચારવું, એટલું ઉપરછલ્લું હોય છે કે જીવનમાં ઉતારવા સંબંધીનો, પ્રયોગમાં લાવવા સંબંધીનો કાંઈ પ્રયત્ન નથી હોતો. એટલે જીવની એ દશા થઈ જાય છે. અથવા પોતાના દુઃખના પ્રસંગને વિષે જીવને એટલી ગંભીરતા નથી આવતી. એવું પોતે ગંભીરપણે વિચારતો નથી કે આનો કાંઈ મારે ઉપાય શોધવો જોઈએ. આમને આમ જન્મવું અને મરવું, આમને આમ દુઃખી થયા કરવું આ તે કાંઈ જિંદગી છે? કોઈ ગંભીર રીતે પ્રયત્ન કરીને, ગંભીર રીતે વિચારીને આનો કોઈ નિવેડો લાવવો જોઈએ. એ રીતે જ્યાં સુધી જીવ વિચારતો નથી ત્યાં સુધી એને તે અંગેનો યથાર્થ પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ એ પુરુષાર્થ ઉત્પન્ન થઈ શકતો નથી.
“એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત....” એટલે ન જીતી શકાય એવા દુઃખના પ્રસંગો છે. જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે” એમ જાણીને જે સંસારને વિષે તેને ઉત્પત્તિનો હેતુ છે “એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા.' એને છોડીને ચાલ્યા ગયા. આ સંસારમાં રહીને આ પ્રમાણે દુઃખી થાવું છે ને ? આ