________________
પત્રાંક-૬૬૫
૧૯૫
બચાવ્યા છે. ના પાડી છે ત્યારે પણ એના લાભ ખાતર, મુમુક્ષુના લાભ ખાતર અને હા પાડી છે ત્યારે પણ મુમુક્ષુના લાભ ખાતર હા પાડી છે. પોતે એટલા વિચક્ષણ હતા. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને વાત કરતા હતા.
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર–અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે.' હવે પોતાના સંયોગોનો વિચાર કરીને, આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રકારથી જીવ કરી શકે છે અથવા નથી કરી શકતો ? સંક્ષેપ ક્યા ક્યા પ્રકારે કરી શકે અને ન કરી શકે ? એ બધો એને વિચાર કરવો. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને સારી રીતે વિચાર કરવો. અને સત્સંગમાં મળીને એનો વિશેષ વિચાર કરવો કે ભાઈ ! મને આ પ્રકારના પરિણામ રહે છે, આ પ્રકારના મારા સંયોગો રહે છે, મારે નિવૃત્તિની ભાવના છે, મારે નિવૃત્તિમાં આવવું છે. પૂરું નિવૃત્તિમાં ન અવાય તો કેવી રીતે હું થોડો પણ આવી શકું ? કેમ છે કેમ નહિ, એની ચર્ચા. પોતાને માર્ગ ન સૂઝે તો બીજાને પૂછે. અરે..! પોતે ‘સોભાગભાઈ’ને પૂછ્યું છે કે મારે હવે શું કરવું ? મારી આ પરિસ્થિતિ છે. તમે ‘મુંબઈ’ આવો. મારી પરિસ્થિતિ નજરે જોવો અને આપણે આ વિષયમાં કાંઈક ચર્ચા કરીએ. મારે છૂટવું છે. શા માટે પૂછતા હતા ? મારે છૂટવું છે માટે પૂછતા હતા. આવી તો એમણે પોતે તૈયારી રાખી છે.
મુમુક્ષુ :- આ સમયમાં ત્યાગની વાત બહુ
.
=
?
પૂજ્ય ભાઈશ્રી :– બહુ જ. ૨૯મું વર્ષ છે ને ? ૨૯મું વર્ષ. ૨૪ વર્ષે જ્ઞાન થયું છે. પછી એમને પ્રવૃત્તિ છોડવાના વિકલ્પો દિન પ્રતિદિન વૃદ્ધિગત થતા ગયા છે. પાંચ વર્ષે તો ત્રાસી ગયા છે. અને આ વર્ષમાં તો એમણે લગભગ જેને એમ કહીએ કે Notice આપી દીધી હોય એવી રીતે કહી દીધું છે કે હું હવે બહુ આમાં રહી શકું એવી મારી પરિસ્થિતિ દેખાતી નથી. એટલે તમે મારો ભાગ કાઢી નાખવો હોય તો કાઢી નાખો. પણ હવે તમે મને છોડો. એ લોકો છોડવા તૈયાર નહોતા. કેમકે એમના ઉપર તો ધંધાનો બહુ આધાર હતો. એટલે એ લોકો છોડવા તૈયા૨ નહોતા. પછી ૩૦મા વર્ષે થોડો થોડો એમણે નિવૃત્તિનો વિશેષ અવકાશ લીધો છે અને પ્રવૃત્તિ ઓછી કરી છે. એ ક્રમ પડ્યો છે. અને ૩૧મા-૩૨મા વર્ષે તો બધું છોડી દીધું છે. અત્યારે તો ૩૦ વર્ષે હજી વેપારમાં દાખલ થાય છે કાં તો શીખતા હોય છે. આ ૩૦ વર્ષે છોડવાની પરિસ્થિતિમાં. પાંચ-છ વર્ષથી તો છોડવાના