________________
પત્રાંક-૬૬૧
૧૫૫ - પૂજ્ય ભાઈશ્રી:- હા. તીવ્ર માનનું જ કારણ બન્યું છે. એ સિવાય બીજી રીતે બને નહિ. કેમકે સત્સમાગમમાં સપુરુષના યોગે જાવું હોય તો નમ્ર થઈને જવું પડે છે. ત્યાં તો પોતે પોતાની મોટાઈ રાખે એવું તો કાંઈ બને નહિ સપુરુષના ચરણમાં જવું હોય એને તો વિનમ્ર થઈને જવાનું બને છે. એનું નામ સત્સમાગમ છે.
મુમુક્ષુમાન કષાય જ્યાં ત્યાં આવીને ઊભો રહે છે. કરવું શું?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ બહુ છૂપો ચોર છે. બહુ વધારે જાગૃત રહેવું. કરવું શું શું ? વધારે જાગૃત રહેવું.
આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે....” ભલે એ આત્મા સમજવામાં નિમિત્ત છે. પણ કોને? અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને.” જેનો સ્વચ્છેદ ગયો છે એ ભલે સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચે. પણ હજી જેનો સ્વચ્છેદ ગયો નથી એને સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચવની આજ્ઞા નથી આપતા. “કૃપાળુદેવને તો એમના મુમુક્ષુઓ પૂછતા હતા કે, અત્યારે આ શાસ્ત્ર મારે વાંચવું કે ન વાંચવું ? અથવા આપ કહો તે શાસ્ત્ર અત્યારે હું વાચું. એટલી આજ્ઞા લઈને અધ્યયન કરતા.
આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદહિત પુરુષને; એટલો લક્ષ રાખીને સાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી એટલે ક્યાંય પણ સ્વચ્છંદ ન થાય એ બાબતમાં જેની જાગૃતિ હોય અને જો શાસ્ત્રને વિચારવામાં આવે, શાસ્ત્રના વચનોને વિચારવામાં આવે તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. તો શું છે કે જે સ્વચ્છેદથી બચવા માગે છે તે આત્માર્થી છે. અને આત્માર્થી થઈને શાસ્ત્ર વાંચે છે તો એને આત્મા સમજવા માટે એ શાસ્ત્ર ઉપકારી થતું હોવાથી એને શાસ્ત્રીય અભિનિવેશ કહેતા નથી. “આ સંક્ષેપથી લખ્યું છે. આટલી વાત છે એ અમે સંક્ષેપથી કહી છે. વિશેષ વિસ્તાર એમ કે વિચારીને કરી લેવો. અને એ પ્રકારની ભૂલ થાય નહિ એ લક્ષમાં રાખવું જોઈએ. | મુમુક્ષુ - સ્વચ્છંદના બીજા લક્ષણો ક્યા લેવા? પોતાના પરિણામ તપાસવા ?
પૂજ્ય ભાઈશ્રી :- સ્વચ્છેદ ઉપર તો આપણે પ્રયોજન સિદ્ધિમાં એક બોલ ઉપર ઘણા પેટાભેદ લીધા છે એટલા માટે. બીજામાં એટલા પેટાભેદ નથી લીધા. પણ સ્વચ્છેદ છે એ મહાદોષ છે. મુમુક્ષુની ભૂમિકામાં આવી જે દોષ રહે છે એ બીજા બધા દોષ કરતા મહાદોષ છે. એટલે એ કેટલા કેટલા પ્રકારે થાય છે એ વિષયનો પ્રયોજન સિદ્ધિમાં વિસ્તાર કર્યો છે એટલા માટે છે અહીંયાં પ્રયોજના સિદ્ધિ' ? અહીંયાં નથી. એકદમ પાતળી ચોપડી છે. એ ૬૬ ૧ (પત્ર પૂરો થયો.