________________
પત્રાંક-૬૬૨
૧૫૭ ચાલુ જ રહે છે. શું થશે ? કેમ થશે ? ક્યારે શું થઈ જશે ? એવી કાંઈ ને કાંઈ એને અંદરમાં શંકા હોય અને એ શંકાનો સંતાપ. સંતાપ એટલે દુઃખ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ.” જ્યાં જ્ઞાન છે ત્યાં નિર્ભયપણું છે, ત્યાં શંકા નથી થતી.
આ સંસારને વિષે તો સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક..” સંસાર તો સ્થાનક છે. એવા આ સંસારમાં જો નિર્ભય થઈને રહેવું હોય તો એકમાત્ર વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય સિવાય કોઈ અભય નથી. વૈરાગ્ય એટલે નિરસપણું. જેને અપેક્ષાવૃત્તિનો અભાવ છે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. નિરપેક્ષવૃત્તિ. આના આધારે આમ છે, આના આધારે આમ છે એમ કોઈને કોઈનો આધાર જીવ લે છે. આધારભૂત એવું જે ધ્રુવતત્ત્વ, અવલંબનભૂત એવું જે ધ્રુવતત્ત્વ એનો આધાર છોડ્યો અને ગમે તેનો આધાર લીધો એટલે એ ભયાન્વીત થયા વગર રહી શકશે નહિ. ત્રિકાળી તત્ત્વના આધારે જ નિર્ભયતા આવી શકે, બીજી રીતે નિર્ભયતા આવી શકે નહિ.
એવો એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એટલે આ વૈરાગ્ય, હોં ! વૈરાગ્ય એટલે દુઃખગર્ભિત કે મોહગર્ભિત કે માનગર્ભિત કે લોભગર્ભિત કોઈ કષાયગર્ભિત જે વૈરાગ્ય છે અને વૈરાગ્ય નથી કહેતા. વૈરાગ્ય એટલે સ્વરૂપની અપેક્ષાવૃત્તિમાં અન્ય સર્વની ઉપેક્ષાવૃત્તિ, એને વૈરાગ્ય કહે છે.
મુમુક્ષુ - શ્રતુહરિનો શ્લોક છે ને ? વૈરાગ્ય... પૂજ્ય ભાઈશ્રી:- હા. વૈરાગ્ય એક જ અભય છે.” છે ને. બહુ સારો શ્લોક છે. મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- યાદ છે ? પદ નહિ યાદ હોય. સંસ્કૃત છે. પાછળ ૮૪૩ પાને પરિશિષ્ટમાં છે, જુઓ ! અને આમ છે ૩૩ પાને. “મોળે રોગમાં ભોગમાં રોગનો ભય છે. ભોગોપભોગમાં પડેલાને રોગ થયા વિના રહે નહિ. એ ભોગ જ રોગનું કારણ છે. “યુને યુતિમયે કુળની મોટી આબરૂ હોય તો કહે છે કે અમારી આબરૂ કાંઈક જાશે તો ? કાંઈક અમારી આબરૂ ઓછી થઈ જશે તો ? અમારી આબરૂ ઘટી જાશે તો ? “યુને યુતિમય વિત્તે કૃપાદ્ધિાર્થ અને પૈસામાં રાજાનો ભય છે. Tax નાખે છે ને ? રાજકર્તાનો ભય છે. પૈસાવાળાને એ ભય સતાવ્યા કરે છે. કયારે રેડ (Raid) પડશે ? કયારે કોણ આવી ચડશે ? “માને તૈન્યમય અને માનવાળાને દીનતાનો ભય છે. મારું માન ચાલ્યું જશે તો ? મારું માન ઘટી જશે