________________
૧૫૮
રાજહૃદય ભાગ-૧૩
તો ? મારું અપમાન થશે તો ? “વને રિપુમયે અને શરીર બળવાન છે એને શત્રનો ભય છે. કેમકે શરીરની અંદર કોઈ શેરને માથે સવાશેર હોય જ છે. એટલે એને રિષભય છે. “પે તળ્યા મયા’ અને સ્ત્રીઓને રૂપનો ભય છે.
શાત્રે વાવે મળે જે શાસ્ત્રના જ્ઞાનની અંદર પાવરધો થયો એને વાદનો ભય છે. ઓલો મારી સામે આમ કહે છે. હું આમ કહું છું એની સામે આમ કહે છે. મારી સામે ઓલો આમ કહે છે. મારે આ કહેવું છે એની સામે “શાર વાવ માં એને વાદનો ભય થાય છે. “ગુણે રત્નમય અને જે લૌકિક ગુણ છે એમાં ગુણથી મ્યુતિ થવાનો ખલ ભય એટલે શ્રુત થવાનો ભય છે, અવગુણનો ભય છે. લૌકિકગુણની વાત છે, આત્મગુણની વાત નથી.
Tયે વૃતાન્તીય' અને શરીરે પણ કાંઈને કાંઈ એને નુકસાન થવાનો ભય છે. “સર્વ વસ્તુ મયાન્વિત’ જગતમાં જેટલા સ્થાન છે એ બધા ભયથી ઘેરાયેલા છે. કોઈ સ્થાન નિર્ભય નથી. ગમે ત્યાં જાય નહિ. કોઈ સ્થાન નિર્ભય નથી. “સર્વ વસ્તુ મર્યાન્વિત મુવિ નૃણાં વૈરાગ્યમેવાભયા' એક પુરુષને વૈરાગ્ય છે તે જ અભયનું કારણ છે. આ સિવાય કોઈ નિર્ભયતાનું કારણ નથી.
અથવા પોતાના પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન નિર્ભયતા લાવે છે. કે જ્યારે હું મારા સ્વરૂપથી જ પરિપૂર્ણ છું અને પરપદાર્થથી સર્વથા ભિન્ન છું. જગતમાં કોઈ ચીજ મારી છે જ નહિ. પરપદાર્થ સાથે લેવાદેવા નથી અને મારા સ્વરૂપથી પૂર્ણ છું. પછી મારે ભય શાનો? કે કોઈ ભય રાખવાની મારે જરૂર નથી. એ રીતે એક વૈરાગ્ય જ અભય છે. એ સિવાય બીજું કોઈ (અભય નથી).
આ રીતનો વૈરાગ્ય. પૂર્ણતાને લક્ષે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય. નહિતર અપેક્ષાવૃત્તિ નહિ જાય. અપેક્ષાવૃત્તિ તે રાગ છે, જે વૈરાગ્યથી વિરુદ્ધ છે. અપેક્ષાવૃત્તિ કોને છે ? કે જેને પોતાની પૂર્ણતાની પ્રતીત નથી તેને છે. ખાત્રી નથી એને છે. હું પૂર્ણ છું એવી ખાત્રીમાં અપેક્ષા નથી. કેમકે પૂર્ણતામાં કોઈની જરૂર નથી. અને જેને પોતાના પૂર્ણ સ્વરૂપનો વિશ્વાસ નથી, ખાત્રી નથી અને કાંઈક હોય તો ઠીક... કાંઈક હોય તો ઠીક. આમ હોય તો ઠીક... આમ હોય તો ઠીક... એ અપેક્ષાવૃત્તિ અને નિર્ભય નહિ થવા દે. એ હંમેશા ભયમાં જ જીવશે. આ એક ભય સંબંધીની સમસ્યા પણ જગતની અંદર એક બહુ મોટી સમસ્યા છે. તમામ જીવો ભયથી જીવે છે. જૈનદર્શનમાં આનો ઉપાય છે, કે તું ગમે તે પરિસ્થિતિમાં હો નિર્ભય થઈ જાય, તારા પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન લે ને. પૂર્ણ છો. અંદર સમાય