________________
૧૪
રાજહૃદય ભાગ-૧૩ કરે છે. એમને તો પોતાના રસ્તે ચાલ્યું જવું છે અને રસ્તાની આંગળી ચીંધવી છે કે આ રસ્તો છે. આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, બાકી કાંઈ નથી. લેવા કે દેવા. કોઈ કરે, કોઈ ન કરે, કોઈ આવે, ન આવે. એનો કાંઈ વિચાર કરવાનો હોતો નથી.
પત્રાંક-૬૫૯
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫ર સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે: “અંતસંબધીય, અને બાહ્યસંબંધીય'. અંતર્સયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાનીપુરુષોએ પણ કરી છે.
૬૫૯ મો પત્ર “અંબાલાલભાઈ ઉપરનો છે. “સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. લ્યો ! તીર્થકરોએ કહ્યું છે એમ નહિ. “જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે.' જુદી જુદી શૈલીથી પ્રતિપાદન કરે છે. જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે અને ઉત્કૃષ્ટ વિવેકનું ફળ જેમણે પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનવંત એટલે વિવેકપંત. મોક્ષમાર્ગમાં જેને વિવેક આવ્યો છે એમણે એ વાત કરી કે સર્વ દુઃખનું મૂળ શું છે? તો કહે છે, આ જીવ સંયોગ સાથે સંબંધ જોડે છે એ સર્વ દુઃખનું મૂળ છે. જેટલો બીજાની સાથે મારાપણાથી સાથે સંબંધ કરે છે ને ? તો કહે છે એ એને સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ) છે.. પછી દેહથી માંડીને જેટલા કોઈ સંયોગોમાં જીવ પોતાના સંબંધની કલ્પના કરે છે. વસ્તુધર્મે તો દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ એવા વસ્તુના સ્વચતુષ્ટયથી સર્વથા ભિન્ન હોવા છતાં, પૂરેપૂરી ભિન્નતા હોવા છતાં, કોઈપણ અપેક્ષા રાખીને અભિપણું, સંબંધપણું કહ્યું છે એ જ જીવને સર્વ દુઃખનું મૂળ છે. સર્વ દુઃખનું મૂળ છે.
મુમુક્ષુ:- કોઈ સંબંધ નથી...
પૂજ્ય ભાઈશ્રી :- હા. નાસ્તિ સર્વે અપિ સંબંધ. ખરેખર તો કોઈપણ પ્રકારનો સંબંધ છે જ નહિ. કેમકે એક એક પદાર્થ પોતે સર્વશક્તિમાન પોતે