________________
૧૨૪
રાજય ભાગ-૧૩
પ્રત્યેની ભક્તિ પણ ઘણી સારી રહે. પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં... એ પ્રકારે પોતાના આત્મહિતને મુખ્ય કરીને, આત્મહિતના લક્ષે કોઈ એવા પરિણામ પત્ય કરે.
એ ઉપરાંત “જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી....” જ્ઞાનીપુરુષના જે વચનો છે એમને તો મુખ્યપણે “કૃપાળુદેવનો જે યોગ હતો અને એમના વચનોનો વિચાર કરવાથી. વિચાર કરવાનો અર્થ એ છે કે મારા આત્મહિતમાં આ વચનો કેવી રીતે ઉપયોગી થાય છે ? અથવા આ વચનોને વિષે કહેલો જે ઉપદેશ, એ હું કેવી રીતે અંગીકાર કરું ? એ વગેરે પ્રકારે વિશેષ વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં.” મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધવાનું બને છે. દશા વિશેષ થાય છે એટલે પાત્રતા વિશેષ થાય છે અને યથાર્થ સમાધિને યોગ્ય પરિણામ) થાય....” છે. જે દશા છે એ નિર્વિકલ્પ સમાધિને યોગ્ય થાય એવી રીતે મુમુક્ષુની દશામાં આગળ વધવાનો લક્ષ રાખવો. એમ અમે ત્રિભોવનભાઈની સાથે તમારા પત્રો મળ્યા હતા ત્યારે કહ્યું હતું.” એમ કહ્યું હતું. એમ લીધું. “એ જ વિનંતિ.” ત્રિભોવનભાઈ વાત તો કરે જ કે આવી રીતે તમારા પત્રો મળ્યા પછી વાત કરી છે. પણ જે કાંઈ વાત માણસ ગ્રહણ કરે છે એ પોતાની ગ્રહણશક્તિને અનુસાર કરે છે. એમણે એ વાતને પત્રમાં દોહરાવી છે કે જે મારો કહેવા ધારેલો વિષય હતો એ આ પ્રકારે હતો. એમને પણ મેં વાત કરી છે. એ જ રીતે વાત મળી હોય અથવા જે વાત એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વાત જાય છે ત્યારે એમાં થોડો ફેર પડે છે. એવો ફેર ન પડે એટલા માટે એ વાત અમે પત્ર દ્વારા પણ લખી છે.
જુઓ ! સામાન્યપણે આ એક મુમુક્ષુની ભૂમિકામાં પ્રશ્ન રહે છે કે અમારે શું કરવું? કરવું શું? આ એક સીધી વાત છે કે પરપદાર્થોના કાર્યનો ઉદય હોય ત્યારે એના સંક્ષેપમાં જાવું, એના વિસ્તારમાં ન જાવું. પોતાના દોષ જોવાનો મુમુક્ષુની ભૂમિકામાં દઢ લક્ષ હોવો જોઈએ અથવા પોતાના પરિણામોનું અવલોકન કરવા જે અનુભવ થાય છે, પરિણામોનો તો અનુભવ થાય છે, એ અનુભવને અનુભવથી સમજવો. વિચારથી ન સમજવો પણ અનુભવથી સમજવો. અને એ સિવાયનો સમય સત્સમાગમ અને સશાસ્ત્રમાં પરમ ભક્તિએ વર્તવું. પરમ ભક્તિથી. એમ નહિ કે મારે આ કરવું પડે છે. એમ નથી. પણ પોતાના ઉમંગથી, ઉત્સાહિત વર્ષથી સત્સમાગમ અને સન્શાસ્ત્રને વિષે જેમ જેમ પરિણામ વર્ધમાન થાય, વધતા પરિણામ (થાય), આગળ ભાવ વિશેષ વિશેષ થયા કરે. એ પ્રકારે મુમુક્ષુ વર્તે તો