________________
૧૩૪
રાજહૃદય ભાગ-૧૩
પાડ્યો છે. જ્યારે જીવ નિવૃત્તિ લે છે અને નિવૃત્તિ લીધા છતાં પણ એને મિથ્યાત્વનો અભાવ થતો નથી, નાશ થતો નથી એમાં બે કારણ છે. બે પ્રકારના અભિનિવેશ. બે અભિનિવેશ એટલે બે પ્રકારના અભિનિવેશ મિથ્યાત્વનો ત્યાગ કરવામાં આડા આવીને ઊભા રહે છે, મિથ્યાત્વનો ત્યાગ કરવામાં અથવા ધર્મની પ્રાપ્તિમાં પ્રતિબંધ, અવરોધરૂપે આડા આવીને ઊભા રહે છે. આ જગ્યાએ બહુ સરસ વાત કરી છે.
તે આ પ્રમાણે :...’ કયા બે પ્રકારના અભિનિવેશ ? કે બ્લૌકિક' અને શાસ્ત્રીય” અભિનિવેશ. લૌકિક અભિનિવેશ એટલે લોકોની નજરમાં પોતે સારો દેખાય, જે દેખાય છે એથી પણ હજી વધુ સારો દેખાય. એવા પ્રકારની જીવની જે વૃત્તિ ચાલુ રહેવી, એવી પિરણિત ચાલુ રહેવી એને લૌકિક અભિનિવેશ કહેવામાં આવે છે. ઉપયોગ તો ક્યારેક થાય કે બીજાની નજરમાં આપણું સ્થાન, આપણી છાપ તો સારી છે ને.
પોતાની છાપ સારી રહે, સારી પડે અને સારી હોય તો વધુ સારી થાય એવો વિચા૨ ભલે ક્યારેક આવે પણ અભિપ્રાય હોય એટલે પિરણિત ચાલુ થઈ જાય. અભિનિવેશ થાય એટલે એ પરિણતિ ચાલુ રહે. અને પોતાનું તમામ વર્તન, પછી જે પોતાની વર્તના છે એ બધું બાહ્ય પ્રવર્તન એવી રીતે જ એ રાખે કે જેમાં પોતાની છાપ બગડે નહિ અથવા છાપ સારી ને સારી રહે. આવી રીતે જે પરિણતિ કામ કરે છે અને જે પિરણિત અનુસાર પછી ગમે તે પ્રવૃત્તિ એ પરિણતિ અનુસા૨ જ થવાની. ધર્મના ક્ષેત્રમાં નિવૃત્તિ લઈને જીવ આવ્યો તો હું ધર્મીજીવ છું એવી તો છાપ રહેવી જ જોઈએ ને, હું આત્માર્થી છું એવી તો છાપ રહેવી જોઈએ ને, હું મુમુક્ષુ છું એવી તો છાપ બધાને પડવી જોઈએ. એને અનુસરીને એવા લક્ષે જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે લૌકિક અભિનિવેશમાં જાય છે. અને આવો જે લૌકિક અભિનિવેશ છે એ જીવને મિથ્યાત્વ દૃઢ કરાવે છે. છોડવાનો તો અવસ૨ જ એને આવે નહિ.
જેમ ૫૨૫દાર્થમાં પોતાપણું થાય તો મિથ્યાત્વ થાય છે અથવા મિથ્યાત્વ દૃઢ થાય છે. એમ આવો લૌકિક અભિનિવેશમાં જીવ ધાર્મિક પ્રવૃત્તિ કરે, કોઈ શુભ પ્રવૃત્તિ કરે, શુભયોગની પ્રવૃત્તિ કરે, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિ કરે તો એને મિથ્યાત્વ દૃઢ થાય છે, એને મિથ્યાત્વ છૂટતું નથી.
સામાન્ય રીતે જે સન્દેવ, ગુરુ-શાસ્ત્ર-સત્પુરુષ છે એમના યોગે તો મિથ્યાત્વ