________________
૧૩૦
રાજહૃદય ભાગ-૧૩ શકે એટલો સપુરુષનો યોગ નથી રહી શકતો. પણ જ્યારે જે ઉપલબ્ધ હોય અથવા પ્રથમ જો સપુરુષના યોગની પ્રાપ્તિ હોય તો તેની ઉપાસના કરવી યોગ્ય છે. જો પુરુષનો યોગ ન મળે એવી પરિસ્થિતિ હોય તો સાસ્ત્રની ઉપાસના કરવી યોગ્ય છે.
સન્શાસ્ત્રની ઉપાસના કરવી અને સદ્ગુરુની ઉપાસના કરવી એ બંનેમાં જે તાત્પર્ય છે અથવા મુખ્યપણે જે વાત છે એ તો પરસમ્મુખતા છોડીને સ્વરૂપ સન્મુખતા કરાવવાની છે. સદ્ગુરુના બોધમાં પણ એ જ લક્ષ છે, શાસ્ત્રબોધનું પણ એ જ લક્ષ છે. એટલે બંને બાહ્ય નિમિત્ત હોવા છતાં અને બાહ્ય પરિણામે તેની ઉપાસના થતી હોવા છતાં અંતર્લક્ષ એ હોવા યોગ્ય છે કે મારા પરિણામને સાસ્ત્ર અને સદ્ગુરુના યોગે પણ અંતર્મુખ કરવા બાજુ મારે વાળવા. એ લક્ષ રાખીને અથવા એવું લક્ષ છોડ્યા વિના તે ઉપાસવા યોગ્ય છે. નહિતર એ માત્ર બાહ્યવૃત્તિ રહ્યા કરે.
જેમકે કોઈ જીવોને નિવૃત્તિ કુદરતી પુણ્યયોગે હોય છે. તો એ નિવૃત્તિમાં આવ્યા પછી શાસ્ત્રો વાંચ્યાવાચ કરે, એટલા બધા શાસ્ત્રો વાંચે અને એ વાંચ્યા પછી એટલા બધા એના વિકલ્પો વધે કે એક એક વાતની અંદર એને ખૂબ વિચારો આવવા માંડે. એક વાત સામે આવે ત્યાં એટલા બધા વિચાર ચાલે... એટલા બધા વિચાર ચાલે. કેમકે વાંચ્યું હોય અને ધાર્યું હોય ઘણું. પછી એ બધું સંઘર્યું હોય એમાંથી એ બધું એક વાત ઊભી થાય એને લાગુ કરવાનો સહેજે સહેજે અંતર એ પ્રકારે પણ સત્યાસ્ત્રની ઉપાસના કરવા યોગ્ય નથી.
જે જીવો સાંસારિક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી લેતા એવા જીવોને તો એમ કહેવામાં આવે છે કે પુરુષ અને સન્શાસ્ત્રની ઉપાસનામાં રહેવું. પણ જે નિવૃત્તિમાં આવ્યા છે અને સાસ્ત્રની ઉપાસનમાં રહે છે, એને એમ કહેવામાં આવે છે કે, એવી રીતે શાસ્ત્રમાં જ ઉપયોગ રહ્યા કરે અને આત્મામાં ઉપયોગ ન જાય તો એ સાસ્ત્રની યથાર્થ યથાયોગ્ય ઉપાસના નથી.
અહીંયાં એક શબ્દ વાપર્યો છે. વિચાર ત્યાંથી લંબાય છે. નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ...” શુભેચ્છા એટલે જેને પોતાનું આત્મકલ્યાણ કરવાની ઇચ્છા થઈ છે એવા જીવને નિવૃત્તિ હોય, હોઈ શકે છે તો એને “સદ્દગુરુ, સપુરુષ અને સન્શાસ્ત્રની ઉપાસના કરવી એમ ન કહ્યું પણ “યથાયોગ્ય ઉપાસના કરવી.” એટલો શબ્દ નાખ્યો. યથાયોગ્ય ઉપાસના કરવી. એટલે એકલા પરિણામ