________________
પત્રક-૬ ૫૭.
૧૩૧ બહારમાં જ કર્યા કરે. ચાલો આ નિમિત્તો તો સારા છે ને, આપણે આ નિમિત્તો તો સારા છે ને, આપણે કોઈ અશુભ નિમિત્તોમાં તો નથી જતા ને અશુભકાર્યોમાં તો નથી જતા ને માટે આ વાંચ્યવાંચ કરો કે સાંભળો. અત્યારે Tape recording નું એક સાધન વધ્યું છે. નહિતર સાંભળવામાં તો કોઈ સંભળાવનાર વ્યક્તિ મળે તો જ માણસને સાંભળવાનો યોગ થાય. અત્યારે તો સંભળાવનાર વ્યક્તિ ન મળે તો એની Tape recording મળી જાય છે. આપણે વાંચવામાં ઉપયોગ નથી લાગતો તો સાંભળવામાં ઉપયોગ રાખો. કોઈ જીવની પ્રકૃતિ એવી હોય છે કે એને સાંભળવામાં ઉપયોગ રહે અને વાંચવામાં એનો ઉપયોગ ન રહે. કોઈ જીવની પ્રકતિ એવી હોય છે કે એને સાંભળવામાં એટલો ઉપયોગ ન રહે પણ વાંચવામાં વિશેષ ઉપયોગ રહે. તો જેને જે અનુકૂળ પડે એ રીતે સાધન રાખે. પણ એ સાધનથી.
. સદ્દગુરુનો ઉપદેશ પણ તેમનાથી ઉન્મુખ કરાવીને સ્વરૂપસન્મુખ કરાવે છે. મેં તો એમ ગ્રહણ કર્યું છે, મેં તો એવો ઉપદેશ લીધો છે કે વૃત્તિને એમનાથી ઉન્મુખ કરાવીને પોતાના સ્વરૂપસન્મુખ કરાવે છે. એની યથાયોગ્ય ઉપાસના ક્યારે થઈ ગણાય કે ક્યારે થઈ કહેવાય ? કે એ કહે છે એવું પોતે કરે ત્યારે. એ એમ નથી કહેતા કે તું મારો ઉપદેશ એકાંતે સાંભળ્યા જ કરજે. ખરેખર તો એમ કહે છે કે હું કહું છું એમ તું કર. તો તે ઉપદેશ સાંભળ્યો છે અને હું કહું છું એવો પ્રયત્ન અને એવો પુરુષાર્થ ન કર તો એ ખરેખર સાંભળ્યું નથી અથવા યથાયોગ્યપણે સાંભળ્યું નથી.
એટલે એમ લીધું કે નિવૃત્તિ યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્દગુરુ, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસની કરી... શું કરે ? યથાર્થ બોધ પામે. એટલે યથાર્થ જ્ઞાનની એને પ્રાપ્તિ થાય. યથાર્થ જ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. સદ્દગુરુ અને સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરવાનો અર્થ જ એ છે કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, સ્વરૂપનો બોધ થાય તો એણે પુરુષની અને સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી છે. નહિતર એવું અનંત વાર જીવ કરી ચૂક્યો છે. બહિર્લક્ષે, બહિર્ભવે તો અનંત વાર કરી ચૂકયો છે. અત્યારે પણ જો એમ જ કરે તો પછી એણે યથાયોગ્ય ઉપાસના કરી નથી અને એને યથાર્થ બોધ પણ આવવાનો અવસર નથી.
એટલે એમાંથી એ મેળવવાનું છે કે પ્રત્યક્ષયોગ હોય કે સલ્ફાસ્ત્રનો યોગ